૧૪ ફેબૃઆરી ૨૦૧૦ ના રવીવાર ના રોજ મોટાભાગ ની વ્યક્તિઓં એ પ્રેમ ના આ પર્વ ને ઉજવ્યો. અમુક લોકોએ એમની લાગણીઓને ફુલ કે કાર્ડ દ્વારા રજુ કરી ત્યારે અમુક લોકો એ એકબીજા પ્રત્યે ની લાગણીને ઉજવી.
ઓશો રજનીશ કહે છે કે પ્રેમ એકજ એવી અનુભૂતિ છે જે Artificial કદી લાવી જ ન શકાય. કોઈ પર અમથે અમથો ગુસ્સો થાય પણ પ્રેમ અમથે અમથો ના થાય. પ્રેમ થાય તો થાય ને નો થાય તો નો થાય. પ્રેમ પર કોઈ શરતો લાગુ ના પાડી શકાય. I Love You પર નાની ફુદરડી મૂકી ને નીચે ઝીણા અક્ષરોમાં Conditions Apply ના લખી શકાય. એવીજ રીતે પ્રેમ ને કોઈ બિઝનેશ ની જેમ અગાઉ થી પ્લાન પણ ના કરી શકાય. પ્રેમ થાય તો થાય ને નો થાય તો નો થાય.
ઈશ્વરનો પૃથ્વી પ્રત્યેનો પ્રેમ જોવો હોય તો પૂર્ણરૂપે ખીલેલા પુષ્પ ને જુઓ., ખળખળ વહેતી નદી ને જુઓ, સવાર ના ઉગતા સુર્ય ને વધામણી આપતા પંખીઓના કલરવ ને સાંભળો..... આ બધામાં તમને ઈશ્વરનો પ્રેમ જ છલકાતો દેખાશે.
એક વ્યક્તિ સ્વામી રમણ પાસે ગયો અને કહ્યું કે મને બ્રમ્હજ્ઞાન આપો, મેં ૨૫ વર્ષ સુધી બ્રમચર્ય નું પાલન કર્યું છે, વેદો ને ઉપનીષદો નું અધ્યયન કર્યું છે. પરન્તું હવે મને બ્રમ્હજ્ઞાન મેળવવાની ઈચ્છા છે. સ્વામી રમણે કહ્યું કે એ બધું તો ઠીક પણ તે કદી પ્રેમ કર્યો છે? પેલા ભાઈ ને થયું કે આ શું, સ્વામીજી મને બ્રમ્હજ્ઞાન આપવાને બદલે આવો અર્થ વગરનો સવાલ કેમ કરે છે? તેમણે જવાબ આપ્યો કે વિદ્યાભ્યાસ દરમ્યાન મને પ્રેમ જેવી મામુલી ચીજ માટે સમય જ ન હતો અને અત્યારે હું અહિયા બ્રમ્હજ્ઞાન મેળવવા આવ્યો છું માટે તમે મને તેની વાત કરો, આ પ્રેમ ની ચર્ચા અત્યારે અસ્થાને છે. રમણ ને આ જવાબ થી સંતોષ ના થયો એટલે એણે ફરી પૂછ્યું, કે તે કદી પ્રેમ નથી કર્યો, માતા સાથે પ્રેમ, ભાઈ ભાંડું સાથે પ્રેમ કે પ્રેમિકા સાથે પ્રેમ.... પેલા ભાઈએ નકાર માં માથું ધુણાવ્યું. આ જોઈ સ્વામી રમણ બહુ દુખી થયા અને કહ્યું કે ભાઈ તો તો હું તને કશી મદદ ના કરી શકીશ. તે માનવસર્જિત તમામ જ્ઞાન તો અવશ્ય મેળવ્યું પણ ઈશ્વર સર્જિત પ્રેમ ને કડી અનુભવ્યો જ નથી માટે બ્રમ્હજ્ઞાન તો બહુ દુર ની વાત છે.
પ્રેમ ની મહાનતા ને શબ્દો માં કે પુસ્તક માં તો વર્ણવી શકાય જ નહિ. એ તો એક અદ્વિતીય અનુભૂતિ છે જેની ચરમસીમાએ સર્જન ના તમામ દ્વાર ખુલી જાય છે. પ્રેમ ની પરાકાષ્ઠા એ જ સર્જન ની શરૂઆત છે. મોટાભાગ ના ધર્મગ્રંથો ના નિયમો પ્રેમ ની વિરુદ્ધ છે અને કદાચ એ માનસિકતાને કારણે જ Valantine Day જેવા પ્રેમ ના ઉત્સવો નો વિરોધ પણ એટલોજ થઇ રહ્યો છે.
એકવાર એક ક્લાસ માં ટીચરે પૂછ્યું કે પ્રેમ એટલે શું? એક સાતમાં ધોરણ માં ભણતી એક દીકરી આગળ આવી અને બહુ સરસ જવાબ આપ્યો કે મારા દાદી ને સાંધાની બીમારી છે. ૭૦ વર્ષ ની ઉમરે મારા દાદા દર રવિવારે મારી દાદી ને પગ ના નખ રંગી આપે છે. મારા હિસાબે તો આજ પ્રેમ છે.
પ્રેમ શબ્દો નો કે બાહ્યસુંદરતા નો કે પૈસા થી આકર્ષતો નથી. એ તો એક અનુભૂતિ છે, જીવનભર સાથે રહેવાની, ન બોલાયેલા શબ્દો ને પણ સમજવાની, એકબીજાને હુંફ આપવાની અને આનંદ ની અનુભૂતિ કરવાની. I Love You એ ત્રણ શબ્દો સાથે ઈશ્વરનું પ્રેમ રૂપી વરદાન જોડાયેલું છે. પ્રેમ એ આ સમગ્ર સૃષ્ટિ નો આધાર છે. આ સૃષ્ટિ માંથી પ્રેમ ની બાદબાકી એ સમગ્ર સૃષ્ટિની બાદબાકી બરાબર છે. પ્રેમ કરો તો પ્રેમથી કરો, EGO કે કૈક મળવવાની વૃતિ થી નહિ.
કોઈક ને થાય કે પ્રેમ ની મહત્તમ ઊંચાઈ શું? What is the Ultimate Hight of the Love? કોઈ કોને કેટલો પ્રેમ કરે છે તે માપી શકાય? How much do you love me.... is it measurable? આ પ્રશ્ન એવો છે કે પૃથ્વી નો છેડો કયો? જો પ્રેમ ને માપવા જશો તો તે પ્રેમ મટી કોઈ વસ્તુ બની જશે, જેની Expiry Date પણ છે, અને ત્યારે તમે તેને માપી પણ શકશો. જેમ ઈશ્વર તેનામાજ સંપૂર્ણ છે તેમ પ્રેમ પણ તેનામાંજ સંપૂર્ણ છે. પ્રેમ ના માપદંડો ના હોય. હું તને ખુબજ પ્રેમ કરું છું તેમ કહેવાને બદલે હું તને પ્રેમ કરું છું તેમ કહેવું જ કાફી છે........... જો બંને પક્ષે એટલી સમજદારી હોય તો.
એક વખત એક દવાખાના માં એક કાકા ડોક્ટર ની રાહ જોતા હતા. થોડીથોડી વારે કાકા ઘડિયાળ જુએ અને આમતેમ આટા મારે. આખરે અડધી કલાકે ડોક્ટર આવ્યા. કાકા ડોક્ટરની ચેમ્બર માં સીધા ઘુસી જ ગયા અને કહ્યું કે મને જલ્દીથી ડ્રેસિંગ કરી આપો મારે મોડું થઇ ગયું છે, મારે જવાનું છે ને મારી પત્ની સાથે ચા પીવાની છે. ડોક્ટર ને થયું કે ૭૦ વર્ષ ની ઉમરે આ કાકા નું ચસકી ગયું લાગે છે. ડોક્ટરે ફટાફટ ડ્રેસિંગ કર્યું. આખરે ડોક્ટર થી રહેવાણુ નહિ એટલે પૂછી જ લીધું, "કાકા ! આ ઉમરે પણ રોજ કાકી સાથે ચા પીવો છો?. કાકાએ જવાબ આપ્યો, "ના ભાઈ ના, મારી પત્ની છેલ્લા ૮ વર્ષ થી મેન્ટલ હોસ્પિટલ માં છે. એ કોઈને ઓળખતી નથી. દર અઠવાડીએ એક વાર મને તેને મળવા દેવામાં આવે છે. આજે મારો મળવાનો વારો છે, અને ઘરે થી હું મારા હાથે ચા બનાવી તેના માટે લઇ જાવ છું." ડોક્ટરે પૂછ્યું, "કાકા, તમારી પત્ની તમને ઓળખી શક્તિ નથી છતાં પણ તમે આટલી આતુરતા થી તેને મળવા જાવ છો?" આ સાંભળી કાકા બે મીનીટ ચુપ રહ્યા, આંખો ભીની થઇ ગઈ. ધીમે રહીને ડોક્ટરની સામે જોઈ ને કહ્યું, "બેટા, હું તો તેને ઓળખું છુ ને. "
આ છે સાચો પ્રેમ, જેની કોઈ સીમાં નથી, એ તો આ વીરાટ બ્રમ્હાંડરૂપી અનુભૂતિ છે, જેનું માપ લેવું અશક્ય છે. એટલેજ તો કહે છે ને કે ઢાઈ અક્ષર પ્રેમ કા પઢે તો પંડિત હોઈ.....
A VERY HAPPY VALENTINE'S DAY!
પ્રેમ !
March 15, 2010, 11:54 pmશ્રેષ્ઠતા ની પરીભાષા
March 15, 2010, 11:53 pm
એક વખત હું ફરતા ફરતા એક Under Construction મંદિર પાસે પહોંચ્યો. જોયું તો એક મૂર્તિકાર મૂર્તિ બનાવતો હતો. હું તેને જોવા લાગ્યો. પણ આ શું મૂર્તિકાર જે મૂર્તિ બનાવતો હતો તદ્દન તેવી જ એક મૂર્તિ તો તેની બાજુમાંજ પડી હતી. આ જોઈ મને થોડી આશ્ચર્ય થયુ. મેં પેલા મૂર્તિકાર ને પૂછ્યું કે ભાઈ તું એકજ ભગવાન ની બે મૂર્તિ બનાવે છે કે શું? મૂર્તિકારે જવાબ આપ્યો "ના, મારે તો ફક્ત એક જ મૂર્તિ બનાવવાની છે. પેલી મૂર્તિ તો પૂરી થવામાં જ હતી ત્યાં તે થોડી ખરાબ થઇ ગઈ."
હું તે મૂર્તિ પાસે ગયો. મને થયું કે જોવા તો દે આ મૂર્તિ માં શું ખરાબી છે? લગભગ અડધો કલાકના મથામણના અંતે મને તો તે મૂર્તિ માં કોઈ ખરાબી દેખાઈ જ નહિ. એટલે મેં મૂર્તિકાર ને પૂછ્યું કે ભાઈ આ મૂર્તિ માં એવી તો શું ખરાબી છે કે તું ફરી પછી મહેનત કરી ને બીજી મૂર્તિ બતાવવા લાગ્યો? તે મૂર્તિકારે કહ્યું કે તેના નાક પાસે એક નાનકડો કાપો પડી ગયો છે.હું વિચાર માં પડી ગયો. મેં બારીકી થી નિરીક્ષણ કર્યું છતાં પણ મને કઈ દેખાયું નહિ અને આ મૂર્તિકાર કહે છે કે નાક પાસે એક નાનકડો કાપો છે એટલે એ બીજી મૂર્તિ બનાવવા લાગી ગયો. આખરે તો હું વાણીયો ને એટલે મેં તે મૂર્તિકાર ને પૂછ્યું, "તારે આ મૂર્તિ ક્યાં ગોઠવવાની છે?" મૂર્તિકારે કહ્યું કે પેલા વીસ ફુટ ઉંચા પીલર પર. મેં કહ્યું કે ભાઈ મને બે ફુટ દુરથી આ નાક પાસે નો કાપો દેખાયો નહિ તો બીજા લોકો ને વીસ ફુટ દુરથી ક્યાં દેખાવાનો છે. કોને ખબર પડવાની છે કે ત્યાં નાક પાસે કાપો છે. આ સાંભળી મૂર્તિકારે મારી સામે જોયું અને આંખોમાં એક અજબ સી ચમક સાથે કહ્યું, "મને તો ખબર છે ને."
Excellence does not require audit, feedback or comments from others. શ્રેષ્ઠતા નું સાચું પરિમાણ તો તમારું મન જ છે. તેને અન્યના આધાર ની જરૂર નથી. એક રીતે જોવા જઈએ તો મૂર્તિકારને વ્યવ્હારું ના ગણતા જીદ્દી કહી શકો પરંતુ શ્રેષ્ઠતા એ જીદ્દી લોકો ની જ નિશાની છે. ગાંધીજી જીદ્ધી હતા એટલેજ શ્રેષ્ઠ હતા. દાંડીયાત્રા વખતે તે બધાના મંતવ્યો માંગવા નહોતા ગયા. મેં તો અકેલા ચલા થા, કાંરવા બનતા ગયા એમ એ તો નીકળી પડ્યા. તેમણે એટલું જ જોયું કે તેમની યાત્રા નું પરિણામ પ્રજા માટે શ્રેષ્ઠ છે.
આપણે ઘણી વખત આપણા કરતા બીજા ના આપણા કામ પ્રત્યેના મંતવ્યો પર આધાર રાખીએ છીએ. લોકો ને કેવું લાગશે? લોકો આ ઘટના ને કેવી રીતે જોશે? તેઓ મારા વખાણ કરશે કે નિંદા? આવું કદાચ તમે વિચારતા હો તો એમાં તમારો વાંક નથી. નાનપણ થી જ તમારું એક Programming કરવામાં આવ્યુ છે, ભણતા હતા ત્યારે શિક્ષકોના મંતવ્યો, ઘરમાં મોટેરાઓ ના મંતવ્યો, દોસ્તો ના મંતવ્યો, સહકર્મચારીઓ ના મંતવ્યો, બોસ ના મંતવ્યો, સંતાનો ના મંતવ્યો, પત્ની ના મંતવ્યો, સગા સંબંધીઓં ના મંતવ્યો અને આ મંતવ્યો ની વચ્ચે રહેતા રહેતા તમને તમારા પોતાના મંતવ્યો નો આવાજ દાબીજ દીધો છે. આજે પ્રતિજ્ઞા કરો કે દરેક કાર્ય નું જયારે અવલોકન કરવાનું હોય ત્યારે સૌપ્રથમ તમે તમારા મન નો આવાજ સાંભળશો.
જીવન માં જયારે પણ નિર્ણય કરવામાં, હા કે ના માં દ્વિધા અનુભવો ત્યારે ખીસ્સામાંથી એક સિક્કો કાઢી ને Toss કરો. એટલા માટે નહિ કે તે તમને નિર્ણય કરવામાં મદદ કરે, પરંતુ એટલા માટે કે જે સમય દરમ્યાન કિંગ છે કે ક્રોસ્સ એ ખબર નથી તે સમયગાળા દરમ્યાન તમને તમારા હૃદય નો અવાજ સંભાળવાનો મોકો મળશે. તમને એ ખબર પડશે કે તમારું મન શું ઈચ્છે છે.
હું તે મૂર્તિ પાસે ગયો. મને થયું કે જોવા તો દે આ મૂર્તિ માં શું ખરાબી છે? લગભગ અડધો કલાકના મથામણના અંતે મને તો તે મૂર્તિ માં કોઈ ખરાબી દેખાઈ જ નહિ. એટલે મેં મૂર્તિકાર ને પૂછ્યું કે ભાઈ આ મૂર્તિ માં એવી તો શું ખરાબી છે કે તું ફરી પછી મહેનત કરી ને બીજી મૂર્તિ બતાવવા લાગ્યો? તે મૂર્તિકારે કહ્યું કે તેના નાક પાસે એક નાનકડો કાપો પડી ગયો છે.હું વિચાર માં પડી ગયો. મેં બારીકી થી નિરીક્ષણ કર્યું છતાં પણ મને કઈ દેખાયું નહિ અને આ મૂર્તિકાર કહે છે કે નાક પાસે એક નાનકડો કાપો છે એટલે એ બીજી મૂર્તિ બનાવવા લાગી ગયો. આખરે તો હું વાણીયો ને એટલે મેં તે મૂર્તિકાર ને પૂછ્યું, "તારે આ મૂર્તિ ક્યાં ગોઠવવાની છે?" મૂર્તિકારે કહ્યું કે પેલા વીસ ફુટ ઉંચા પીલર પર. મેં કહ્યું કે ભાઈ મને બે ફુટ દુરથી આ નાક પાસે નો કાપો દેખાયો નહિ તો બીજા લોકો ને વીસ ફુટ દુરથી ક્યાં દેખાવાનો છે. કોને ખબર પડવાની છે કે ત્યાં નાક પાસે કાપો છે. આ સાંભળી મૂર્તિકારે મારી સામે જોયું અને આંખોમાં એક અજબ સી ચમક સાથે કહ્યું, "મને તો ખબર છે ને."
Excellence does not require audit, feedback or comments from others. શ્રેષ્ઠતા નું સાચું પરિમાણ તો તમારું મન જ છે. તેને અન્યના આધાર ની જરૂર નથી. એક રીતે જોવા જઈએ તો મૂર્તિકારને વ્યવ્હારું ના ગણતા જીદ્દી કહી શકો પરંતુ શ્રેષ્ઠતા એ જીદ્દી લોકો ની જ નિશાની છે. ગાંધીજી જીદ્ધી હતા એટલેજ શ્રેષ્ઠ હતા. દાંડીયાત્રા વખતે તે બધાના મંતવ્યો માંગવા નહોતા ગયા. મેં તો અકેલા ચલા થા, કાંરવા બનતા ગયા એમ એ તો નીકળી પડ્યા. તેમણે એટલું જ જોયું કે તેમની યાત્રા નું પરિણામ પ્રજા માટે શ્રેષ્ઠ છે.
આપણે ઘણી વખત આપણા કરતા બીજા ના આપણા કામ પ્રત્યેના મંતવ્યો પર આધાર રાખીએ છીએ. લોકો ને કેવું લાગશે? લોકો આ ઘટના ને કેવી રીતે જોશે? તેઓ મારા વખાણ કરશે કે નિંદા? આવું કદાચ તમે વિચારતા હો તો એમાં તમારો વાંક નથી. નાનપણ થી જ તમારું એક Programming કરવામાં આવ્યુ છે, ભણતા હતા ત્યારે શિક્ષકોના મંતવ્યો, ઘરમાં મોટેરાઓ ના મંતવ્યો, દોસ્તો ના મંતવ્યો, સહકર્મચારીઓ ના મંતવ્યો, બોસ ના મંતવ્યો, સંતાનો ના મંતવ્યો, પત્ની ના મંતવ્યો, સગા સંબંધીઓં ના મંતવ્યો અને આ મંતવ્યો ની વચ્ચે રહેતા રહેતા તમને તમારા પોતાના મંતવ્યો નો આવાજ દાબીજ દીધો છે. આજે પ્રતિજ્ઞા કરો કે દરેક કાર્ય નું જયારે અવલોકન કરવાનું હોય ત્યારે સૌપ્રથમ તમે તમારા મન નો આવાજ સાંભળશો.
જીવન માં જયારે પણ નિર્ણય કરવામાં, હા કે ના માં દ્વિધા અનુભવો ત્યારે ખીસ્સામાંથી એક સિક્કો કાઢી ને Toss કરો. એટલા માટે નહિ કે તે તમને નિર્ણય કરવામાં મદદ કરે, પરંતુ એટલા માટે કે જે સમય દરમ્યાન કિંગ છે કે ક્રોસ્સ એ ખબર નથી તે સમયગાળા દરમ્યાન તમને તમારા હૃદય નો અવાજ સંભાળવાનો મોકો મળશે. તમને એ ખબર પડશે કે તમારું મન શું ઈચ્છે છે.
Page :
1
