આજના ફાસ્ટ યુગમાં યુવાનો એક તરફ પોતાની ફરજો ચુકી પોતાના મા-બાપને તરછોડી તેમને એકલવાયુ જીવન જીવવા વૃધ્ધાશ્રમમાં ધકેલી દેતા હોવાના દાખલા આપણે જોયા છે.જે મા બાપએ પોતાના છોકરાને ઉછેરવા પોતાની ઈચ્છાઓનું ખૂણ કરી બાળકોને સક્ય હોય તેટલી સવલતો આપવામાં પાછીપાણી નથી કરી તેવા મા-બાપને પોતાના જીવનનાં છેલ્લા વર્ષોમાં બે ટંક ખવડાવવાનું થાય ત્યારે કેટલાક છોકરાના પેટમાં ચુક આવે છે ત્યારે આવા છોકરા પોતાના મા-બાપથી અલગ રહેવા નિકળી જતા હોય છે ,તો કેટલાક નફફટ લોકો પોતાના મા-બાપને વૃધ્ધાશ્રમમાં પણ ધકેલી દેતા શરમાતા નથી.
ત્યારે આજના આ યુગમાં પણ કેટલાય યુવાનોના મનમાં સેવાકાર્યોની ધૂન હંમેશા વગતી રહે છે તેનો ઉત્તમ દાખલો આણંદ જીલ્લાના ઉમરેઠ નગરમાં જોવા મળી રહ્યો છે.ઉમરેઠના ત્રણ યુવાનોને ચાર વર્ષ પહેલા સેવા કરવાની ધગશ થતા તેઓએ નગરના નિરાધાર વૃધ્ધોને દરોજ્જ સવારના સમયે ભોજન ઘરે બેઠા ભોજન આપવાનું શરુ કર્યુ, શરુઆતમાં તેઓએ પોતાની આ સેવા મફત આપવાનું શરુ કર્યુ પરંતુ મફતમાં ખાવાની વૃત્તિ ન ધરાવતા લોકોએ આ સેવાનો લાભ લેવાનું ટાળ્યુ જેથી આ સંસ્થા ધ્વારા રુપિયા ૨/- ના ટોકન ચાર્જથી પોતાની સેવા ચાલુ રાખી,અને ખુબજ ટુંકા ગાળામાં “જીવન આધાર સેવા સંકુલ” નામની સંસ્થા આકાર પામી,આ સંસ્થા નગરના નિરાધાર વૃધ્ધોને ઘરે બેઠા ૨/- રુપિયાના ટોકન ચાર્જથી ગરમા ગરમ ભોજન આપી આવે છે.આજે લઘભગ ૧૦૩ જેટલા નિરાધાર વૃધ્ધો આ સંસ્થાનો લાભ લઈ રહ્યા છે,જ્યારે ભોજન સરસ બને તે માટે સંસ્થા ચલાવતા ત્રણ યુવાનો અનિલભાઈ દેસાઈ,હરિવદનભાઈ શાહ તેમજ હસમુખભાઈ શાહ વારાફરથી સંસ્થાની અવાર નવાર પ્રત્યક્ષ મુલાકાત પણ કરે છે અને સંસ્થાના કર્મચારીઓના કાર્ય ઉપર દેખરેખ રાખે છે.
સંસ્થાના રસોઈયા ધ્વારા બનતુ ભોજન વૃધ્ધોને સવારે ઘરે બેઠા મળે તે માટે સંસ્થા ધ્વારા ત્રણ માણસો રાખવામાં આવ્યા છે.જે નગરના જુદા જુદા વિસ્તારમાં ફરી વૃધ્ધોને ઘરે જઈને ભોજન આપી દેતા હોય છે.જ્યારે કોઈ કર્મચારી કોઈ કારણથી આવી ન શકે ત્યારે અન્ય કર્મચારી તેઓના વિસ્તારમાં જઈ વૃધ્ધોને ત્યાં ભોજન આપી આવે છે.નગરમાં ત્રણ યુવાનો ધ્વારા થતા આ કાર્યની પ્રસંસા થઈ રહી છે,ત્યારે હાલમાં આ સંસ્થએ પાંચ વર્ષ સફળતાથી પુર્ણ કર્યા છે.
સંસ્થા ચાલુ થઈ ત્યારે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો હતો ત્યારે આ ત્રણ યુવાનોએ નગરના અન્ય સેવાભાવી લોકો પાસેથી ફાળો લઈ સંસ્થામાં પ્રાણપુરી પોતાની સેવાકિય પ્રવૃતિઓ ચાલુ રાખી હતી જ્યારે હાલમાં હવે સામેથી લોકો આવી પોતાના સ્વજનની વર્ષગાંઠ કે પછી અન્ય દિવસની તિથિ લખાવી જે તે દિવસનો ખર્ચો પોતાને માથે લઈ જતા હોય છે.હાલમાં સંસ્થા ધ્વારા ૧૦૦ થી પણ વધુ લોકોને ઘરે બેઠા ભાવતા ભોજણ પીરસવામાં આવે છે.જ્યારે આ સંસ્થાની સેવા લેતા વૃધ્ધો પણ આ ભગીરથ કાર્યથી ખુબ ખુશ છે અને આવા કાર્યને તેઓ બિરદાવી રહ્યા છે.
તા.ક – જો તમે પણ આ યુવાનોના ભગીરથ કાર્યમાં સાથ આપવા માગતા હોવ અને આર્થિક કે અન્ય સહયોગ કરવા માગતા હોવ તો જીવન આધાર સેવા સંકૂલના સંચાલકશ્રી ને મો.૯૪૨૮૪ ૩૫૫૦૨ઉપર સંપર્ક કરી શકો છો.
ત્યારે આજના આ યુગમાં પણ કેટલાય યુવાનોના મનમાં સેવાકાર્યોની ધૂન હંમેશા વગતી રહે છે તેનો ઉત્તમ દાખલો આણંદ જીલ્લાના ઉમરેઠ નગરમાં જોવા મળી રહ્યો છે.ઉમરેઠના ત્રણ યુવાનોને ચાર વર્ષ પહેલા સેવા કરવાની ધગશ થતા તેઓએ નગરના નિરાધાર વૃધ્ધોને દરોજ્જ સવારના સમયે ભોજન ઘરે બેઠા ભોજન આપવાનું શરુ કર્યુ, શરુઆતમાં તેઓએ પોતાની આ સેવા મફત આપવાનું શરુ કર્યુ પરંતુ મફતમાં ખાવાની વૃત્તિ ન ધરાવતા લોકોએ આ સેવાનો લાભ લેવાનું ટાળ્યુ જેથી આ સંસ્થા ધ્વારા રુપિયા ૨/- ના ટોકન ચાર્જથી પોતાની સેવા ચાલુ રાખી,અને ખુબજ ટુંકા ગાળામાં “જીવન આધાર સેવા સંકુલ” નામની સંસ્થા આકાર પામી,આ સંસ્થા નગરના નિરાધાર વૃધ્ધોને ઘરે બેઠા ૨/- રુપિયાના ટોકન ચાર્જથી ગરમા ગરમ ભોજન આપી આવે છે.આજે લઘભગ ૧૦૩ જેટલા નિરાધાર વૃધ્ધો આ સંસ્થાનો લાભ લઈ રહ્યા છે,જ્યારે ભોજન સરસ બને તે માટે સંસ્થા ચલાવતા ત્રણ યુવાનો અનિલભાઈ દેસાઈ,હરિવદનભાઈ શાહ તેમજ હસમુખભાઈ શાહ વારાફરથી સંસ્થાની અવાર નવાર પ્રત્યક્ષ મુલાકાત પણ કરે છે અને સંસ્થાના કર્મચારીઓના કાર્ય ઉપર દેખરેખ રાખે છે.
સંસ્થાના રસોઈયા ધ્વારા બનતુ ભોજન વૃધ્ધોને સવારે ઘરે બેઠા મળે તે માટે સંસ્થા ધ્વારા ત્રણ માણસો રાખવામાં આવ્યા છે.જે નગરના જુદા જુદા વિસ્તારમાં ફરી વૃધ્ધોને ઘરે જઈને ભોજન આપી દેતા હોય છે.જ્યારે કોઈ કર્મચારી કોઈ કારણથી આવી ન શકે ત્યારે અન્ય કર્મચારી તેઓના વિસ્તારમાં જઈ વૃધ્ધોને ત્યાં ભોજન આપી આવે છે.નગરમાં ત્રણ યુવાનો ધ્વારા થતા આ કાર્યની પ્રસંસા થઈ રહી છે,ત્યારે હાલમાં આ સંસ્થએ પાંચ વર્ષ સફળતાથી પુર્ણ કર્યા છે.
સંસ્થા ચાલુ થઈ ત્યારે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો હતો ત્યારે આ ત્રણ યુવાનોએ નગરના અન્ય સેવાભાવી લોકો પાસેથી ફાળો લઈ સંસ્થામાં પ્રાણપુરી પોતાની સેવાકિય પ્રવૃતિઓ ચાલુ રાખી હતી જ્યારે હાલમાં હવે સામેથી લોકો આવી પોતાના સ્વજનની વર્ષગાંઠ કે પછી અન્ય દિવસની તિથિ લખાવી જે તે દિવસનો ખર્ચો પોતાને માથે લઈ જતા હોય છે.હાલમાં સંસ્થા ધ્વારા ૧૦૦ થી પણ વધુ લોકોને ઘરે બેઠા ભાવતા ભોજણ પીરસવામાં આવે છે.જ્યારે આ સંસ્થાની સેવા લેતા વૃધ્ધો પણ આ ભગીરથ કાર્યથી ખુબ ખુશ છે અને આવા કાર્યને તેઓ બિરદાવી રહ્યા છે.
તા.ક – જો તમે પણ આ યુવાનોના ભગીરથ કાર્યમાં સાથ આપવા માગતા હોવ અને આર્થિક કે અન્ય સહયોગ કરવા માગતા હોવ તો જીવન આધાર સેવા સંકૂલના સંચાલકશ્રી ને મો.૯૪૨૮૪ ૩૫૫૦૨ઉપર સંપર્ક કરી શકો છો.
