સબ્સિડી વગરના એલપીજી સિલિન્ડરનો ભાવ ૪૬.૫૦ વધ્યો

નવી દિલ્હી – સરકારે ઈંધણ માટે સબ્સિડી આપવા પાછળ થતા જંગી ખર્ચને ઘટાડવા માટે અનેક પગલાં લીધા છે અને તેના ભાગરૂપે સબ્સિડી વગરના રાંધણ ગેસના સિલિન્ડરોની કિંમતમાં રૂ. ૪૬.૫૦નો વધારો કરવામાં આવ્યો છે.

આ વર્ષમાં એપ્રિલથી દેશમાં પરિવાર દીઠ સબ્સિડીવાળા ગેસના સિલિન્ડરોની વાર્ષિક સંખ્યા પરની મર્યાદા ૬ થી વધારીને ૯ કરવામાં આવી છે. સબ્સિડી વગરના સિલિન્ડરનો ભાવ આજે શુક્રવારથી જ રૂ. ૯૪૨ થઈ ગયો છે.

સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ નોન-સબ્સિડાઈઝ્ડ એલપીજી સિલિન્ડરના ભાવમાં ગઈ ૧ નવેંબરે રૂ. ૨૬.૫૦નો વધારો કર્યો હતો, પણ બાદમાં ઉહાપોહ થતાં સરકારે તે પાછો ખેંચ્યો હતો.

તેમ છતાં સબ્સિડીવાળા સિલિન્ડરોની કિંમતમાં સરકારે નવો કોઈ વધારો ન કરતાં અને તેવા સિલિન્ડરોની વાર્ષિક મર્યાદિત સંખ્યા ૯ સુધી વધારી દેતાં ઓઈલ કંપનીઓએ સબ્સિડી વગરના સિલિન્ડરના ભાવમાં રૂ. ૪૬.૫૦નો વધારો કરી દીધો છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, Business