નાણાં પ્રધાન પ્રણવ મુખરજી રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે ઉમેદવારીપત્રક ભરશે એ વાત હવે લગભગ નક્કી થઇ ગઇ છે અને તેઓ 25મી જૂને ઉમેદવારીપત્ર ભરે એવી શક્યતા છે.
પ્રણવ મુખરજી 24મી જૂને નાણાં પ્રધાન તરીકે રાજીનામું આપશે. જોકે પ્રણવ મુખરજી રાષ્ટ્રપતિ બની શકશે કે નહીં એ વાત હજુ પણ થોડી અનિશ્ચિત જણાય છે, કારણ કે મુલાયમ સિંહનું વલણ હજુ સુધી નક્કી નથી થયું.
નાણાં પ્રધાન તરીકે પ્રણવ 24મી જૂને રાજીનામું આપશે
Filed in: Breaking News, National news



















