મુંબઈ : મનસે અધ્યક્ષ રાજ ઠાકરેએ ફરી એક વાર ધમકી આપતા કહ્યું છે કે હવે ભારતીય ટેલિવીઝન પર પાકિસ્તાની કલાકાર ફરી વાર દેખાવવા ન જોઈએ.
રાજે કહ્યું કે તેમણે એક પ્રોગ્રામનાં નિર્માતાઓને સ્પષ્ટ જણાવી દીધુ હતુ કે આ છેલ્લી તક તેઓ આપી રહ્યા છે.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનાં અધ્યક્ષ રાજ ઠાકરેએ એક વાર ફરીથી ગર્જતા કહ્યું કે હવે તેઓ પાકિસ્તાની કલાકારોને ભારતમાં નહીં આવવા દે, તેમનું માનવુ છે કે તેઓ કલા અને કલાકારનાં વિરૂદ્ધમાં નથી, પરંતુ પાકિસ્તાનનાં કલાકાર અહીં આવે તે માટે તેમનો સખત વિરોધ છે.



















