નવી દિલ્હી – ભારતીય જનતા પાર્ટીના સંસદીય બોર્ડે રાજનાથ સિંહ પર ભરોસો મૂકીને એમને પક્ષનું નેતૃત્વ ફરી સોંપ્યું છે. રાજનાથ સિંહ સમક્ષ અનેક પડકારો છે. ખાસ કરીને ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને જિતાડવાનો પડકાર મુખ્ય છે.
એક મુલાકાતમાં રાજનાથ સિંહે એવો સંકેત આપ્યો છે કે નરેન્દ્ર મોદીએ ભવિષ્યમાં કદાચ બહોળી ભૂમિકા ભજવવાની આવશે.
ગુજરાતના મુખ્ય પ્રધાન અને ભાજપના મહારથી મોદી સાથે આ સંદર્ભમાં હું ટૂંક સમયમાં જ ચર્ચા કરીશ, પણ એ વિશે હું કોઈ વિગત જાહેર કરવા માગતો નથી, એમ પણ રાજનાથ સિંહે કહ્યું છે.
મોદીએ ગુજરાતને આદર્શ રાજ્ય બનાવ્યું છે. એ દેશના લોકપ્રિય નેતા બન્યા છે એ હકીકતને કોઈ નકારી શકે નહીં, તેથી એમના રાજકીય ભવિષ્ય વિશે એમની સાથે ચર્ચા કરવી જરૂરી છે, એમ રાજનાથ સિંહે કહ્યું.



















