Archive: Breaking News Subscribe to Breaking News
કેન્દ્રીય આયોજન પંચ ગુજરાતની વિકાસયાત્રાથી અત્યંત ખુશ છે
નવી દિલ્હી – ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે આયોજન પંચે ગુજરાતમાં વર્ષ ૨૦૧૩-૧૪માં આયોજનપૂર્વકના વિકાસ કાર્યો હાથ ધરવા માટે રાજ્ય સરકારે નક્કી કરેલી યોજનાનું કદ રૂ. ૫૯,૦૦૦ કરોડનું સુનિશ્ચિત કર્યું છે.
મોદી ગુજરાતની વાર્ષિક યોજનાના કદ અંગે અહલુવાલિયા...
ઉત્તરાખંડ: ૮૧નાં મરણ, ૭૩,૦૦૦ લોકો વરસાદી આફતોમાં ફસાયા
દેહરાદૂન- મૂશળધાર વરસાદ અને તેને કારણે આવેલા પૂરને લીધે ઉત્તર ભારતમાં ખાસ કરીને પહાડી રાજ્યો જેવા કે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં વિનાશ વેર્યો છે. તો હરિયાણાનાં કેટલાક ભાગોમાં પણ પૂર જેવી સ્થિતિ પેદા થઈ છે. વરસાદી આફતોને કારણે ઓછામાં ઓછા ૮૧ જણનાં મરણ થયા છે જ્યારે...
ઈશરત કેસઃ CBI ૧૨ જુલાઈ સુધીમાં ચાર્જશીટ ફાઈલ કરશે
અમદાવાદ – તપાસનીશ એજન્સી સીબીઆઈએ ગુજરાત હાઈ કોર્ટને કહ્યું છે કે તે ઈશરત જહાં નકલી એન્કાઉન્ટર કેસમાં ૧૨ જુલાઈ સુધીમાં ચાર્જશીટ ફાઈલ કરી દેશે.
મુંબઈ નજીકના મુંબ્રા નગરની રહેવાસી અને ૧૯ વર્ષની કોલેજિયન ઈશરત તથા અન્ય ચાર જણને ૨૦૦૪ની ૧૫ જૂને અમદાવાદની હદના વિસ્તારમાં...
જિયાનાં પત્રને હેન્ડરાઈટિંગ નિષ્ણાતને મોકલાશે
મુંબઈ – મૃત્યુ પામેલી અભિનેત્રી જિયા ખાનનાં ૬-પાનાનાં પત્રમાંનાં અક્ષરો જિયાનાં અક્ષરોને મળતા આવતા નથી એવી વાતોને અખબારી આલમ દ્વારા ફેલાવાતી અફવા તરીકે ગણાવીને મુંબઈના એક સિનિયર પોલીસ અધિકારીએ કહ્યું છે કે પોલીસ વિભાગ તરફથી એવું દર્શાવતું કોઈ નિવેદન કરવામાં આવ્યું...
મોદી અયોધ્યા નહીં જાય; તેમના કાર્યાલયની સ્પષ્ટતા
અમદાવાદ – ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યાની મુલાકાતે જવાના છે અને ત્યાં વિવાદાસ્પદ સ્થળે પૂજા કરવાના છે એવા એક અગ્રગણ્ય અંગ્રેજી અખબારના અહેવાલને ખોટો ગણાવીને મોદીના કાર્યાલયે કહ્યું છે કે મોદી અયોધ્યા જવાના નથી.
દરમિયાન, લખનઉમાંથી વિશ્વ હિન્દુ પરિષદે...
અમરનાથ યાત્રા પર આતંકી હુમલાની સંભાવના; એલર્ટ જાહેર
જમ્મુ- પવિત્ર તીર્થધામ અમરનાથ યાત્રા પર આતંકવાદીઓની મેલી નજર પડી છે. બાબા બર્ફાનીનાં દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓ પર હુમલો કરવા આતંકવાદીઓ ષડયંત્ર રચી રહ્યાં છે. સેનાનાં ઉત્તરી કમાનનાં જનરલ ઓફિસર ટી.પરનાઈકે અમરનાથ યાત્રા પર આતંકવાદીઓની નજર મંડરાઈ રહીં હોવાનો ખુલાસો કર્યો...
અડવાણીએ મોદીને કહ્યું; હું તમારી બઢતીથી અપસેટ નથી
નવી દિલ્હી – ગુજરાતનાં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી ગોવા સમ્મેલનમાં ભાજપનાં ચૂંટણી પ્રચાર સમિતિનાં અધ્યક્ષ બનાવાયા બાદ પહેલી વાર આજે, મંગળવારે અહીં પાર્ટીનાં સિનિયર નેતા લાલકૃષ્ણ અડવાણીને મળવા તેમના નિવાસસ્થાને આવ્યા હતા. મોદીએ અડવાણી સાથે લગભગ એક કલાક સુધી વાતચીત...
ભાજપનું બિહાર ‘બંધ’,BJP-JDUનાં કાર્યકર્તાઓએ એકબીજાને લાકડીઓ ફટકારી
પટના- બિહારમાં એનડીએમાંથી જેડીયુ અલગ થવાની ઘટનાને વિશ્વાસઘાત ગણાવતા ભાજપે મંગળવારે બિહાર બંધની સાથે ‘વિશ્વાસઘાત દિવસ’ મનાવવાની જાહેરાત કરી છે. પોતાનો વિરોધ વ્યક્ત કરવા ભાજપનાં કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યાં છે. ભાજપ તેમજ જેડીયુનાં કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ...
દિલ્હીમાં વધ્યું પૂરનું સંકટ, યમુના ભયજનક સપાટીથી ઉપર
નવી દિલ્હી- દિલ્હીનાં નિચાણવાળા વિસ્તારોમાં પૂરનું સંકટ વધી ગયું છે. યમુના નદીનું જળસ્તર ભયજનક સપાટીની ઉપર પહોંચી ગયું છે. યમુનાનાં વધતા જળસ્તરને જોતા તંત્રએ મંગળવાર બપોર સુધી લોખંડનાં પુલ પર અવરજવર રોકવાનો નિર્ણય કર્યો છે. પૂરનાં સંકટને પહોંચી વળવા માટે સ્થાનિક તંત્ર...
યુપીએ સરકાર ત્રીજી મુદત હાંસલ કરશેઃ મનમોહન સિંહને વિશ્વાસ
નવી દિલ્હી – પોતાના પ્રધાનમંડળમાં નવા આઠ પ્રધાનોને સામેલ કર્યા બાદ તેમના શપથવિધિ સમારંભ બાદ પત્રકારો સાથેની વાતચીતમાં વડા પ્રધાન મનમોહન સિંહે કહ્યું કે યુપીએ સરકાર સતત ત્રીજી વાર સત્તા હાંસલ કરશે.
વડા પ્રધાને કહ્યું કે, હું હંમેશા એવું માનતો રહ્યો છું કે અમારું યુપીએ...

