Archive: Breaking News Subscribe to Breaking News
IPLમાં સટ્ટો હારતાં હિરા વેપારીનાં પુત્રની ભત્રીજાએ હત્યા કરી
મુંબઈ- વી.પી.રોડ વિસ્તારમાં ૧૩ વર્ષનાં આદિત્ય રાંકા નામનાં બાળકનું અપહરણ કરી તેને મોતને ઘાટ ઉતારી નાખવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જાણવા મળ્યું છે કે, અપહરણ કરનાર આદિત્યનો પિતરાઈ ભાઈ હિમાશું અને તેનો દોસ્ત વિગેશ હતા.
પોલીસનાં જણાવ્યાં પ્રમાણે આરોપી હિમાંશુ આઈપીએલનાં...
કિંગફિશર એયરલાઈન્સ વિરૂદ્ધ ફોજદારી કેસ
મુંબઈ- ઉદ્યોગપતિ વિજય માલ્યાની મુસીબતો ઓછી થવાનું નામ નથી લઈ રહી. કિંગફિશર એયરલાઈન્સનાં મોટા દેવાને વસુલવા એક તરફ બેન્ક તેમની સંપત્તિની હરાજી કરવાની તૈયારીમાં છે, ત્યાં લેણદારો કંપની વિરૂદ્ધ ફોજદારી કેસ દાખલ કરવાની તૈયારી કરી રહ્યાં છે
એરપોર્ટ ઓપરેટર (એએઆઈ)એ કિંગફિશર...
ડીએસપી હત્યાકાંડ: CBIએ રાજા ભૈયાની પૂછપરછ શરૂ કરી
લખનઉ- કુંડાનાં ડીએસપી જીયા ઉલ હકની હત્યા મામલે ભૂતપૂર્વ પ્રધાન રાજા ભૈયા સીબીઆઈનાં કુંડા ઓફિસમાં પહોંચી ગયા છે. સીબીઆઈએ આ કેસમાં રાજા ભૈયાની પુછપરછ શરૂ કરી છે. આ જ કેસમાં રાજા ભૈયાનું નામ આવતા તેમણે યુપીનું પ્રધાન પદ છોડવું પડ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, બે માર્ચે કુંડાનાં...
ડેડલાઈન પૂરી: સંજયે ક્યાં શરણે થવું? કોર્ટ આજે નક્કી કરશે
મુંબઈ – ૧૯૯૩ના મુંબઈ બ્લાસ્ટ્સ કેસમાં સ્પેશિયલ ‘ટાડા’ કોર્ટમાં શરણે આવી જવામાં એક્ટર સંજય દત્તને સુપ્રીમ કોર્ટે આપેલી ચાર અઠવાડિયાની મુદત આજે પૂરી થાય છે, પણ સંજય ટાડા કોર્ટમાં શરણે જશે કે કેમ એ વિશે શંકા છે, કારણ કે એણે મુંબઈની આર્થર રોડ જેલ અથવા પુણેની યરવડા જેલમાં...
ગીરમાંથી સિંહોના સ્થળાંતર સામે ગુજરાત સરકારની રીવ્યૂ પીટિશન
ગાંધીનગર – જૂનાગઢના ગીર અભ્યારણ્યમાંથી એશિયાટિક સિંહોનું મધ્ય પ્રદેશના રેવા અભ્યારણ્યમાં સ્થળાંતર કરાતું રોકવા માટે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં રીવ્યૂ પીટિશન કરી છે.
સુપ્રીમ કોર્ટે ગઈ ૧૫ એપ્રિલે જણાવ્યું હતું કે કેટલાક સિંહોને ગીરમાંથી મધ્ય પ્રદેશના પાલપુર...
એર ઈન્ડિયા ૧૫ મેથી ડ્રીમલાઈનર ફ્લાઈટ્સ શરૂ કરશે
નવી દિલ્હી – એર ઈન્ડિયા આવતી કાલે બુધવારથી ડ્રીમલાઈન વિમાનોની સ્થાનિક સ્તરની સેવા ફરી શરૂ કરશે. આ વિમાનોને તેણે ઘણા વખતથી સેવામાંથી હટાવી લીધા છે. એર ઈન્ડિયા આ વિમાનોની આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ ૨૨ મેથી શરૂ કરશે.
સરકારે કહ્યું છે કે એરલાઈન ચાલુ નાણાકીય વર્ષમાં તેના ખર્ચમાં...
માયા કોડનાનીને ફાંસીની સજા મામલે ગુજરાત સરકારનો યુ-ટર્ન
અમદાવાદ – ગુજરાત સરકારના કાયદા વિભાગે નરોડા પાટિયા હત્યાકાંડ કેસના ચીફ પ્રોસિક્યૂટરને લેખિતમાં જણાવ્યું છે કે તે ભાજપનાં મહિલા નેતા માયા કોડનાની અને બજરંગ દળના કાર્યકર્તા બાબુ બજરંગી માટેની સજાને વધારીને ફાંસી કરાવવા માટે મંજૂરી મેળવવાનું તાત્પુરતું અટકાવી દે....
નવાઝ શરીફે પોતાના શપથવિધિમાં હાજર રહેવાનું મનમોહન સિંહને આમંત્રણ આપ્યું
નવી દિલ્હી – વડા પ્રધાન મનમોહન સિંહે પાકિસ્તાનની સંસદીય ચૂંટણીમાં જ્વલંત જીત હાંસલ કરવા બદલ નવાઝ શરીફને અભિનંદન આપ્યા તેની વળતી શુભચેષ્ટા રૂપે શરીફે કહ્યું છે કે તે પોતાના શપથવિધિ સમારંભમાં હાજર રહેવા મનમોહન સિંહને આમંત્રણ આપશે.
શરીફના નેતૃત્વવાળી પાકિસ્તાન મુસ્લિમ...
સચીન કહે છે, મને સોનું ખરીદવું બહુ ગમે
મુંબઈ – આજે સોમવારે, અખા ત્રીજના પવિત્ર દિવસ નિમિત્તે સચીન તેંડુલકરનાં ચહેરા અને હસ્તાક્ષર કોતરેલા તેનાં નામનાં સુવર્ણ સિક્કાઓની મર્યાદિત આવૃત્તિ બહાર પાડવામાં આવી છે.
વેલ્યૂમાર્ટ ગોલ્ડ એન્ડ જ્વેલ્સ દ્વારા એક લાખ સચીન તેંડુલકર ગોલ્ડ કોઈન્સ સચીનની હાજરીમાં બહાર...

