Archive: Business Subscribe to Business
રેનબેક્સી ઉતરી ગયો બાવન હપ્તાના નિચલા સ્તરે
મુંબઈ – કથિતપણે ભેળસેળવાળી દવાઓનું ઉત્પાદન કરવા અને વેચાણ કરવાનો જેની પર આરોપ છે તે રેનબેક્સી લેબોરેટરીઝ લિમિટેડ સામે તપાસ શરૂ કરાવવાની માગણી કરતી એક પીટિશન પર સુપ્રીમ કોર્ટ આવતી ૨૪ જૂને સુનાવણી કરશે એવા અહેવાલોને પગલે શેરબજારમાં રેનબેક્સીનો શેર ધડામ કરતો પછડાયો...
મોબાઈલ રોમિંગ સેવા મફત નહીં રહે
નવી દિલ્હી – મોબાઈલ રોમિંગ સેવા મફત કરવાનો સરકારે અગાઉ નિર્ણય લીધો હતો, પણ હવે તેણે કંપનીઓને થોડીક રાહત આપી છે. આનું કારણ એ છે કે ટેલિકોમ રેગ્યૂલેટર એજન્સી, ટ્રાઈએ કંપનીઓને આવતી ૧ જુલાઈથી નિશ્ચિત કરેલી રકમ ગ્રાહકોને ચાર્જ કરવાની છૂટ આપી છે.
સરકારે તેની નવી દૂરસંચાર નીતિમાં...
સીઆરઆર, રેપો રેટમાં ફેરફાર નહીં: રિઝર્વ બેન્ક
મુંબઈ- ભારતીય રિઝર્વ બેન્કે સોમવારે સીઆરઆર અને રેપો રેટ સહિત મુખ્ય નીતિ દરોમાં કોઈ પણ પરિવર્તન ના કરતા કહ્યું કે, રૂપિયો નબળો થતા ફુગાવાનું જોખમ વધી ગયું છે.
નાણાંકિય વર્ષ ૨૦૧૩-૨૦૧૪ માટે નાણાકીય નીતિની મધ્ય-ત્રિમાસિક સમીક્ષામાં રિઝર્વ બેન્કે રેપો રેટમાં કોઈ ફેરફાર...
ઈન્ફોસિસનું પુનર્ઘડતર કરતાં ત્રણેક વર્ષ લાગશેઃ મૂર્તિ
બેંગલોર – દેશની બીજા નંબરની સોફ્ટવેર સર્વિસીસ કંપની, ઈન્ફોસિસ લિમિટેડની આજે મળેલી ૩૨મી વાર્ષિક સામાન્ય સભામાં એક્ઝિક્યૂટિવ ચેરમેન તરીકે એન.આર. નારાયણ મૂર્તિને નિમણૂંકને બહાલી આપવામાં આવી છે. આ પ્રસંગે મૂર્તિએ કહ્યું કે કંપનીનું ઈચ્છનીય સ્તરે પુનર્ઘડતર કરતાં ત્રણેક...
મે-૨૦૧૩માં મોંઘવારીનો દર ઘટીને થયો ૪.૭૦ ટકા
નવી દિલ્હી – મેન્યૂફેક્ચર્ડ ચીજવસ્તુઓના ભાવ ઘટી જવાથી ગયા મે મહિનામાં ફૂગાવાનો કે મોંઘવારીનો દર ઘટીને ૪.૭૦ ટકા નોંધાયો હતો. જોકે એ મહિનામાં ખાવા-પીવાની ચીજોનાં ભાવ ઉંચે જ ગયો છે. તે દર ૬.૦૮ ટકાથી વધીને ૮.૨૫ ટકા થયો છે.
હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ આધારિત ફૂગાવાનો દર એપ્રિલમાં...
ઈન્ફોસિસના કર્મચારીઓને મળી પગારવધારાની ગિફ્ટ
બેંગલોર – એન.આર. નારાયણમૂર્તિએ નેતૃત્વ સંભાળ્યું એ સાથે જ ઈન્ફોસિસ લિમિટેડના કર્મચારીઓને ખુશખબર મળ્યા છે.
ભારતમાં બીજા નંબરની આ સોફ્ટવેર સર્વિસીસ પ્રોવાઈડર કંપનીએ પોતાના તમામ યોગ્ય કર્મચારીઓના પગારમાં નાણાકીય વર્ષ ૨૦૧૩-૧૪ માટે ૮ ટકાના વધારાની જાહેરાત કરી છે. આ વધારો...
વિપ્રો જર્મનીમાં ૧૦૦૦ કર્મચારીઓને રોકશે
મુંબઈ – ભારતની ત્રીજા નંબરની મોટી સોફ્ટવેર સર્વિસ કંપની, વિપ્રો લિમિટેડ આવતા ત્રણ વર્ષમાં જર્મનીમાં ૧૦૦૦ જેટલા પ્રોફેશનલ્સને રોકવા ધારે છે.
કંપનીનું માનવું છે કે આવનારા વર્ષો દરમિયાન જર્મનીમાં રીટેલ, ઓટોમોટિવ, ટેલિકોમ, હેલ્થકેર, બેન્કિંગ અને એનર્જી જેવા ક્ષેત્રોમાં...
એક મહિના સુધી કાર એક્સચેન્જ પ્રોગ્રામઃ મારુતિની ઓફર
નવી દિલ્હી – દેશમાં કાર માર્કેટમાં હજી પણ મંદીનું મોજું ફરી વળેલું ત્યારે સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝૂકી ઈન્ડિયાએ તેના હાલના ગ્રાહકો માટે એક એક્સચેન્જ યોજનાની જાહેરાત કરી છે જે જૂનનો આખો મહિનો લાગુ રહેશે.
કંપની દેશભરમાં નોંધાયેલા તેના પાંચ લાખ કરતાંય વધારે...
રૂપિયો ત્રણ-ચાર દિવસમાં સ્થિર થશેઃ નાણાં મંત્રાલયનો દાવો
નવી દિલ્હી – યુએસ ડોલરની સરખામણીમાં રૂપિયાનું ૫૮.૯૬ સુધી અવમૂલ્યન થયું છે ત્યારે કેન્દ્રીય નાણાં મંત્રાલયે કહ્યું છે કે રૂપિયાના આ પતનથી તે જરાય ચિંતિત નથી અને દેશી ચલણ આવતા ત્રણ-ચાર દિવસમાં સ્થિર થશે.
વિદેશી ભંડોળ મોટા પાયે આવતું હોઈ રૂપિયો સ્થિર થશે એવું મંત્રાલયનું...

