Archive: GUJARAT NEWS Subscribe to GUJARAT NEWS
રાજ્યમાં ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર
ગાંધીનગર- ધોરણ-૧૨ સાયન્સનાં ૧.૧૫ લાખ જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી બોર્ડ, ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું. ધોરણ-૧૨ સાયન્સનું પરિણામ ૯૨.૫૩ ટકા જાહેર થયું છે. વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જે વિદ્યાર્થીઓ જોવા માંગે છે તેઓ www.gseb.org, www.gipl.net,...
વિદેશમાં વસતા ગુજરાતીઓ ભારતના સાંસ્કૃતિક દૂત છેઃ મોદી
ગાંધીનગર – ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકામાં વસતા લાખો ભારતીયોને આજે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કર્યા છે અને ગુજરાતીઓને ભારતના સાંસ્કૃતિક એમ્બેસડર તરીકે ઓળખાવ્યા છે.
મોદીએ ગુજરાતના ૫૩મા સ્થાપના દિનની અમેરિકામાં વસતા ભારતીય/ગુજરાતી સમુદાય...
ગુજરાત કોંગ્રેસે છ બેઠકોની ચૂંટણી માટે ઉમેદવારોનાં નામ જાહેર કર્યા
ગાંધીનગર- બીજી જૂનનાં રોજ છ બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે જે માટે દિલ્હી હાઈકમાન્ડ દ્વારા ગુજરાત કોંગ્રેસનાં ઉમેદવારોનાં નામ જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતની લોકસભાની બે બેઠક બનાસકાંઠા, પોરબંદર અને વિધાનસભાની ચાર બેઠક મોરવાહફ, લીંબડી, જેતપુર અને ધોરાજી માટે ઉમેદવારોનાં...
ગુજરાતમાં કૃત્રિમ ફ્રેશવોટર સરોવર બનાવવામાં આવશે
ગાંધીનગર – પાણીનાં થોડાક ટીપાં મોટો વિશાળ સમુદ્ર બનાવે છે. આ શબ્દો ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યની કલ્પસર જળ યોજનાનો ઉલ્લેખ કરતી વખતે ઉચ્ચાર્યા હતા. તેમનું એ વાક્ય કદાચ હકીકતમાં પલટાઈ જવાનું છે. રાજ્યમાં પ્રવર્તતી પાણીની કારમી તંગીની સમસ્યાને દૂર કરવા...
અમદાવાદમાં ૮ લૂંટારૂઓ ત્રાટક્યાં, પોલીસે તપાસ આદરી
અમદાવાદ- માણેકબાગ વિસ્તારમાં શુક્રવારે સવારે ચાર વાગ્યે આઠ લૂંટારૂઓની ચડ્ડી બનિયાધારી ટોળકીએ એક મકાન માલિકને ઘરમાં બંધ કરી લૂંટ કરી છે. અમદાવાદનાં તુલીપ બંગ્લોઝમાં લૂંટારૂઓ મકાનની પાછલી બારી તોડીને ઘરમાં પ્રવેશ્યા અને લૂંટ કરી છે.
મકાન માલિકને બંધ કરી ઘરમાં લૂંટ...
મોદી સરકારનાં નિર્ણયથી નક્કી થશે પાવર કંપનીઓનું ભવિષ્ય
અમદાવાદ- ટાટા પાવર અને અદાણી ગૃપ સહિત કેટલીય કંપનીઓનાં વિશાળ પાવર પ્લાન્ટ્સનું ભવિષ્ય ગુજરાત સરકારનાં લેવાનારા પગલાથી નક્કી થવાનું છે. વિજળી દરોમાં વધારાની સાથે આ પ્લાન્ટ્સને ચલાવવું ફાયદાકારક નિવડશે. ગુજરાત સરકાર આ મામલે કંપનીઓને વાત કરી નિવેડો લાવવા માંગે છે પરંતુ...
ગુજરાત સરકાર વિરૂદ્ધ હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરાઈ
અમદાવાદ-ગુજરાત રાજ્યનાં કેટલાક એક્ટિવિસ્ટોએ રાજ્યનાં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ પીઆઈએલ (પબ્લીક ઇન્ટ્રેસ્ટ લિટિગેશન) દાખલ કરી છે. નરેન્દ્ર મોદી સરકાર સામે ગુજરાત હાઈકોર્ટમાં ભ્રષ્ટાચારનાં આરોપ હેઠળની આઠ પીઆઈએલ દાખલ કરવામાં આવી છે. આ પીઆઈએલ રાજ્યમાં ઉદ્યોગપતિઓને...
ગુજરાતની જેલોમાં ૬૦ પાકિસ્તાની કેદીઓ છે
અમદાવાદ – ગુજરાતમાં અનેક જેલોમાં ૬૦થી વધારે પાકિસ્તાની કેદીઓ છે. આ તમામની સલામતી વ્યવસ્થાને રાજ્ય સરકારે વધારે કડક બનાવી દીધી છે.
પાકિસ્તાની કેદીઓમાં સૌથી વધારે – ૪૦ જણ જામનગરની જેલમાં છે જ્યારે રાજકોટની જેલમાં ૧૨, પાલનપુરમાં ૬ અને અમદાવાદ તથા વડોદરામાં એક-એક પાક...
અમદાવાદ શ્રેણીબદ્ધ વિસ્ફોટનાં આરોપીને ૯ દિવસની પોલીસ કસ્ટડી
અમદાવાદ- ૨૬ જુલાઈ, ૨૦૦૮નાં રોજ સિવિલ, એલ.જી હોસ્પિટલ, હાટકેશ્વર, ખોડિયારનગર, બાપુનગર, રામોલ, સરખેજ અને કલોલ એમ મળીને કુલ ૨૦ જગ્યાએ શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કરવાનાં આરોપમાં ઈન્ડિયન મુઝાહિદ્દીનનાં આતંકવાદી મહમ્મદ શાહિદ નાગોરીની ધરપકડ કરાઈ છે. નાગોરીને મધ્ય પ્રદેશ પોલીસે...
ઈશરત જહાં કેસ: IPS અધિકારી પાંડેની ધરપકડનો આદેશ
અમદાવાદ- ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં આઈપીએસ અધિકારી પી.પી.પાંડેની ધરપકડ કરવા માટે સેશન્સ કોર્ટે વોરન્ટ ઈશ્યૂ કરવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છેકે સીબીઆઈ દ્વારા પાંડેની પૂછપરછ કરવા બે વખત સમન્સ પાઠવવામાં આવ્યું હતું જો કે તેઓ હાજર નહોતા રહ્યાં.
પાંડેની ધરપકડ કરવા માટે...

