Archive: GUJARAT NEWS Subscribe to GUJARAT NEWS

Fakirbhai Vaghela

ગુજરાતના ભૂતપૂર્વ પ્રધાન ફકીરભાઈ વાઘેલાનું અવસાન

અમદાવાદ – ગુજરાતનાં ભૂતપૂર્વ સ્પોર્ટ્સ પ્રધાન અને ભાજપના નેતા ફકીરભાઈ વાઘેલાનું હાર્ટ એટેકને લીધે ગઈ કાલે મંગળવારે ગાંધીનગરમાં અવસાન થયું છે. તેમના પરિવારમાં એમના પત્ની કુસુમ તથા બે પુત્રો છે. ફકીરભાઈની વય ૬૦ વર્ષ હતી. એ દલિત કોમના અગ્રગણ્ય નેતા હતા. મંગળવારે બપોરે...
GUJARAT ASSEMBLY

ગુજરાતે સ્થાપનાના પૂરા કર્યા બાવન વર્ષ

૧૯૬૦, ૧લી મેના મરાઠી અલગતાવાદી પરિબળોના આંદોલનોથી મુંબઇ રાજ્યનું ભાષાના આધારે વિભાજન કરાયું અને ગુજરાત તથા મહારાષ્ટ્ર, એમ બે રાજ્યોની અલગ રચના કરવામાં આવી. આઝાદી પછી દેશમાં ભાષાવાર પ્રાંતરચનાની માંગણીએ જોર પકડ્યું અને આંધ્ર પ્રદેશની રચના માટે શ્રીમાલુએ આમરણાંત ઉપવાસ...
AMC

અમદાવાદ કોર્પોરેશનનાં મેયર, ડે.મેયરનાં નામોની જાહેરાત

અમદાવાદ- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં મેયર અસિત વોરા અને ડેપ્યુટી મેયર દર્શનાબહેન વાઘેલાની અઢી વર્ષની મુદત પૂરી થતા નવા નામોની જાહેરાત આજે, મંગળવારે કરવામાં આવી છે. મેયરપદ માટે મીનાક્ષીબહેન પટેલ જ્યારે નાયબ મેયર તરીકે રમેશભાઈ દેસાઈની નિમણૂંક કરવામાં આવી છે. મીનાક્ષીબહેન ...
Tapi (Surat)

ચાર નદીમાં પ્રદૂષણ છે: ગુજરાત સરકારને નોટિસ

અમદાવાદ – ગુજરાત રાજ્યની ચાર નદીમાં ગંદો કચરો તથા અન્ય ઝેરી પદાર્થો ઠાલવવામાં આવતા હોવાથી તે પ્રદૂષિત થઈ ગઈ છે અને તેને તાકીદે સ્વચ્છ કરવાની જરૂર છે એવી માગણી કરતી એક જાહેર હિતની અરજી ઉપરની સુનાવણીમાં ગુજરાત હાઈ કોર્ટે ગુજરાત સરકાર તથા ગુજરાત પોલ્યૂશન કન્ટ્રોલ બોર્ડને...
Narendra Modi

સરબજીત મામલે કેન્દ્ર સરકાર નબળી પુરવાર થઈ છેઃ મોદી

ગાંધીનગર – ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રની યુપીએ સરકાર પર નવો શાબ્દિક પ્રહાર કર્યો છે અને તેને નબળી ગણાવી છે અને એવો આક્ષેપ કર્યો છે કે સરકાર તેની વિદેશ નીતિમાં તદ્દન નિષ્ફળ ગઈ છે. પાકિસ્તાનમાં ફાંસીની સજા પામેલા ભારતીય કેદી સરબજીત સિંહના મામલે પણ...
Sanjiv Bhatt

સંજીવ ભટ્ટ સામેનો મુકદ્દમો આગળ ચલાવવા હાઈ કોર્ટનો સ્ટે ઓર્ડર

અમદાવાદ – પોરબંદરમાં ૧૬ વર્ષના એક કેદીના અત્યાચારને કારણે થયેલા મરણના કેસમાં પોલીસ અધિકારી સંજીવ ભટ્ટ સામે શરૂ કરાયેલા મુકદ્દમા સામે ગુજરાત હાઈ કોર્ટે મનાઈહૂકમ ફરમાવ્યો છે. સંજીવ ભટ્ટને ગુજરાત સરકારે સસ્પેન્ડ કર્યા છે. ન્યાયમૂર્તિ એસ.આર. બ્રહ્મભટ્ટે આદેશ આપ્યો...
Ahmedabad rain

અમદાવાદ-સૌરાષ્ટ્રનાં વાતાવરણમાં પલટો, ભરઉનાળે ચોમાસું

અમદાવાદ- એપ્રિલ મહિનાની ગરમીમાં વાતાવરણ અચાનક બદલાઈ ગયું છે. સોમવારે અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં તો જાણે ભરઉનાળે ચોમાસા જેવો માહોલ હતો. વાતાવરણમાં અચાનક આવેલા પલટાથી નાગરિકોમાં કૂતુહલ સર્જાયું હતું. સૌરાષ્ટ્રના જુનાગઢ પાસેના ચલાલા તાલુકાના હુડલી ગામે તો જાણે આભ ફાટયુ...
Gujarat's Kaushalya Vardhan Kendra Project

ગુજરાતનાં કૌશલ્ય વર્ધન પ્રોજેક્ટને “શ્રેષ્ઠ જાહેર વહીવટ’નો એવોર્ડ

અમદાવાદ – ગુજરાતની યુવાશક્તિને હુન્નર-કૌશલ્યમાં પારંગત કરીને તેમના સશક્તિકરણ માટેના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ કૌશલ્ય વર્ધન કેન્દ્ર (કેવીકે)ને વડા પ્રધાનનો વર્ષ ૨૦૧૧-૧૨ માટેનો ‘એક્સેલન્સ ઈન પબ્લિક એડમિનિસ્ટ્રેશન (શ્રેષ્ઠ જાહેર વહીવટ) એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો...
Women’s college in Amreli

અમરેલીમાં મહિલાઓની કોલેજનું ઉદ્દઘાટન

અમરેલી – આજે રામનવમીના પવિત્ર દિને અમરેલીમાં એલ.એમ. કાકડિયા એમ.સી.એ. મહિલા કોલેજનું ગુજરાતનાં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મોદીએ નારીશક્તિના મહત્વ પર ભાર મૂકતા કહ્યું કે દેશના વિકાસમાં સ્ત્રીઓનું યોગદાન ઉલ્લેખનીય બનતું...
Babu Bajrangi

બાબુ બજરંગીને બે દિવસ માટે કામચલાઉ જામીન મંજૂર

અમદાવાદ – ૨૦૦૨ના નરોડા પાટિયા રમખાણ કેસમાં આજીવન કેદની સજા પામેલા બાબુ બજરંગીને ગુજરાત હાઈ કોર્ટે બે દિવસના કામચલાઉ જામીન આજે ગુરુવારે મંજૂર કર્યા છે. બજરંગીના પત્નીને સર્જરી કરાવવાની હોવાથી તેમને બે દિવસ માટે જામીન પર છોડવા કોર્ટ સંમત્ત થઈ છે. ન્યાયમૂર્તિઓ એમ.આર....