Archive: GUJARAT NEWS Subscribe to GUJARAT NEWS
જામનગરમાં સ્વાઈન ફ્લૂએ લીધો વધુ બે દર્દીનો ભોગ
જામનગર – શહેરમાં ઠંડીની ઋતુએ વિદાય લેતાં જ સ્વાઈન ફ્લૂની બિમારીએ માથું ઊંચક્યું છે અને બે દર્દીનો ભોગ લીધો છે તથા અન્ય બે દર્દીને સ્વાઈન ફ્લૂ થયાનો પોઝિટીવ રિપોર્ટ આવ્યો છે.
મૃત્યુ પામેલા બે નવા દર્દીમાં બંને મહિલા છે.
આ સાથે શહેરમાં આ મહારોગને કારણે મૃત્યુ પામેલાઓની...
મેં ક્યારેય મુખ્ય પ્રધાન બનવાનું પણ સપનું જોયું નહોતું: મોદી
નવી દિલ્હી – ગુજરાતનાં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું તમે વડા પ્રધાન બનવા ઈચ્છો છો? ત્યારે તેનો સીધો જવાબ આપવાનું ટાળીને મોદીએ કહ્યું કે એમણે મુખ્ય પ્રધાન બનવાનું પણ ક્યારેય સપનું જોયું નહોતું.
‘હું જીવનમાં કંઈક બનવા માટેનું સપનું ક્યારેય...
યુસુફનાં નિકાહમાં આવવાનું નરેન્દ્ર મોદીને ઈરફાને નિમંત્રણ આપ્યું
અમદાવાદ- ભારતીય ટીમનો ક્રિકેટર ઈરફાન પઠાણ ગઈકાલે શુક્રવારે ગુજરાતનાં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યો હતો અને પોતાનાં ભાઈ યુસુફ પઠાણનાં નિકાહમાં આવવા માટેનું તેમને નિમંત્રણ આપ્યું હતું.
આ પ્રસંગે ઈરફાને નરેન્દ્ર મોદીને ગુજરાતમાં ફરીથી પોતાની સત્તા બનાવવા બદલ...
સુનિતા વિલિયમ્સ એપ્રિલમાં મુંબઈ, અમદાવાદ આવશે
અમદાવાદ – ભારતીય મૂળની અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ ત્રીજી એપ્રિલે ગુજરાતની યાત્રા પર આવશે.
અવકાશમાં સૌથી વધારે સમય સુધી રહેનાર એક મહિલા તરીકેનો વિશ્વવિક્રમ કરનાર સુનિતા એપ્રિલના પહેલા અઠવાડિયામાં ભારતના પ્રવાસે આવે એવી ધારણા છે. દેશનાં વિદ્યાર્થીઓને અવકાશ...
UPSC પરીક્ષા મામલે વિરોધઃ મોદીએ વડા પ્રધાનને પત્ર લખ્યો
ગાંધીનગર- ગુજરાતનાં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન મનમોહન સિંહને ગઈકાલે ગુરુવારે યુનિયન પબ્લીક સર્વિસ કમિશન (UPSC) અંતર્ગત એક પત્ર લખ્યો છે. પત્રમાં મુખ્ય પ્રધાને ગુજરાતી ભાષામાં પરીક્ષા આપવાની જોગવાઈ રદ થવાથી વડા પ્રધાનને આ મામલે દરમિયાનગીરી કરવાનો આગ્રહ કર્યો...
પાકિસ્તાને ગુજરાતનાં ૧૭ માછીમારોને પકડ્યા
અમદાવાદ – ગુજરાતનાં જખૌ કાંઠા નજીક ઈન્ટરનેશનલ મેરિટાઈમ સરહદ નજીક પાકિસ્તાન મરીન સિક્યૂરિટી એજન્સીએ ૧૭ ભારતીય માછીમારોને પકડી લીધા છે અને તેમની ફિશિંગ ટ્રોલર્સ જપ્ત કરી છે.
માછીમારોનાં સંગઠને દાવો કર્યો છે કે પાકિસ્તાની એજન્સીનાં જવાનોએ બુધવારે ૧૮ માછીમારી બોટને...
અમદાવાદ જિલ્લા પંચાયતને કુપોષણ સામે લડાઈની કાર્યસિદ્ધિ રાષ્ટ્રીય એવોર્ડ
અમદાવાદ – કુપોષણની સમસ્યા સામે જનભાગીદારીથી પ્રભાવક લડાઈની ઝુંબેશ આદરીને ‘QCI-DLSHAH’ ટ્રસ્ટનો રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ અમદાવાદ જિલ્લા પંચાયતને ગુજરાતનાં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનંદન આપ્યા છે.
અમદાવાદ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ગુજરાત ન્યુટ્રિશન...
ઈટાલીયન નેવલ ગાર્ડ્સને પાછા લાવોઃ યુપીએને મોદીએ માર્યા ચાબખાં
નવી દિલ્હી- ગુજરાતનાં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રની યુપીએ સરકારને આજે બુધવારે કહ્યું છે કે, ભારતમાં હત્યાનાં ચાલતા એક કેસના સંબંધમાં ઈટાલિયન નેવલ ગાર્ડ્સને તેમના દેશમાંથી ભારતમાં પાછા લાવવા માટે તે જરૂરી પગલાં લે.
પોતાનાં ટ્વિટરમાં નરેન્દ્ર મોદીએ લખ્યું...
જામનગર રીફાઈનરી પર ભેદી ચીજ વિશે તપાસ ચાલુ છે
નવી દિલ્હી – ગુજરાતમાં જામનગર ઓઈલ રીફાઈનરી પરના આકાશમાં એક ભેદી ઝળકતી ચીજના દેખાવાના મામલે કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ તપાસ કરી રહી છે.
કેન્દ્રના ગૃહ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન મુલ્લાપલ્લી રામચંદ્રને મંગળવારે લોકસભામાં એક લેખિત ઉત્તરમાં જણાવ્યું કે તે ભેદી ઝળકતી...
સૌરાષ્ટ્રનો સૌપ્રથમ ટ્રાયેન્ગ્યુલર બ્રિજ રાજકોટમાં
રાજકોટ – ગુજરાતનાં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ રાજકોટમાં ખુલ્લો મૂકેલો સ્વામી વિવેકાનંદ બ્રિજ (રાજકોટ ગોંડલ રોડ ફ્લાયઓવર) સૌરાષ્ટ્રનો સૌપ્રથમ ટ્રાયેન્ગ્યુલર બ્રિજ છે.
આ ગોંડલ-મવડી ઓવરબ્રિજનું બાંધકામ ચાર વર્ષે પૂરું થયું છે. ફ્લાયઓવર પર મલ્ટી-કલર એલઈડી...

