Archive: MUMBAI news Subscribe to MUMBAI news
અરબી સમુદ્રમાં બોટ ડૂબતા બે માછીમારનાં મરણ
મુંબઈ- ગોવા-કરવાર કિનારે અરબી સમુદ્રમાં માછલી પકડનારી એક ભારતીય બોટને એક મોટા જહાજે ટક્કર મારતા બોટ સમુદ્રમાં ડૂબી ગઈ. આ બોટમાં ૨૯ માછીમારો સવાર હતા જેમાંથી બે માછીમારોનાં મરણ થયા છે, જ્યારે ચાર માછીમારો દરિયામાં ગુમ થઈ ગયા છે તો ૨૩ માછીમારોને ભારતીય તટ રક્ષકોએ બચાવી...
મુંબઈના ગોવંડીમાં હડકાયો કૂતરો ૨૫ જણને કરડ્યો
મુંબઈ – અહીંના ગોવંડી ઉપનગરમાં રખડુ અને હડકાયો બની ગયેલા એક કૂતરાએ લગભગ ૨૫ જણને બટકું ભરતા ખળભળાટ મચી ગયો છે.
આ તમામને ગોવંડીની મહાપાલિકા હસ્તકની શતાબ્દી હોસ્પિટલ તેમજ સાયનમાં આવેલી લોકમાન્ય તિલક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ગોવંડીના રફિકનગર વિસ્તારમાં ગુરુવારે...
વિતેલા જમાનાની સુપ્રસિદ્ધ ગાયિકા શમશાદ બેગમનું નિધન
મુંબઈ- હિન્દી સિનેમામાં ‘મેરે પિયા ગયે રંગૂન’ અને ‘કજરા મહોબ્બત વાલા’ જેવા ગીતોને પોતાનો કંઠ આપનાર વિતેલા જમાનાની ગાયિકા શમશાદ બેગમનું ૯૪ વર્ષની વયે નિધન થયું છે. શમશાદ બેગમની દિકરી ઉષાએ જણાવ્યું કે, “તેઓ છેલ્લા ઘણા મહિનાથી બિમાર હતા અને હોસ્પિટલમાં સારવાર...
મુંબઈમાં નિવાસી ડોક્ટરો હડતાળ પર, દર્દીઓ પરેશાન
મુંબઈ – શહેરમાં અનેક સરકારી હોસ્પિટલોના નિવાસી ડોક્ટરોએ હડતાળ પાડતાં સારવાર, ઈલાજ માટે આવેલા લાખો દર્દીઓને ભારે મુસીબતનો સામનો કરવો પડ્યો છે.
કેઈએમ, સાયન અને નાયર સહિતની હોસ્પિટલોના લગભગ સાડા ચાર હજાર નિવાસી ડોક્ટરો વેતનમાં વધારો કરવા, ડોક્ટરોની સલામતી વધારવા, શૈક્ષણિક...
બિન-જામીનપાત્ર વોરંટ બાદ સંજયે જામીન મેળવ્યા
મુંબઈ – ફિલ્મ નિર્માતા શકીલ નુરાનીને કથિતપણે ધમકી આપવાના કેસમાં કોર્ટમાં હાજર ન થવા બદલ શહેરની અંધેરી કોર્ટે બિન-જામીનપાત્ર વોરંટ ઈસ્યૂ કર્યા બાદ બોલીવૂડ એક્ટર સંજય દત્ત આજે કોર્ટમાં હાજર થયો હતો અને જામીન મેળવ્યા છે.
આ કેસમાં બે વાર સમન્સ મોકલાવ્યું છતાં સંજય કોર્ટમાં...
મુંબઈ: LBT મુદ્દે રાજ્યભરનાં વેપારીઓ ‘બંધ’ પાળશે
મુંબઈ- લોકલ બૉડી ટૅક્સ એટલે કે એલબીટી મુદ્દે વેપારીઓએ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆતો તેમજ ફરિયાદો કરવા છત્તા સરકારે આ ટેક્સ ન હટાવતા વેપારીઓએ આજથી, સોમવારથી બેમુદત બંધની જાહેરાત કરી છે. આ બંધમાં દક્ષિણ મુંબઈની વિવિધ હોલસેલ માર્કેટનાં વેપારીઓએ આ બંધમાં ભાગ લીધો છે. તો રીટેઈલર...
આ દેશમાં ‘મર્દ’ હોવાની મને શરમ આવે છે: અમિતાભ બચ્ચન
મુંબઈ- દિલ્હીમાં પાંચ વર્ષની બાળકી પર ગુજારવામાં આવેલા બળાત્કારની ઘટનાએ દેશને નીચાજોણું કરાવ્યું છે ત્યારે બોલીવૂડનાં મહાનાયક અમિતાભ બચ્ચને પણ ઘટનાનો વિરોધ કર્યો છે.
અમિતાભ બચ્ચને પોતાનાં ફેસબુક એકાઉન્ટ પર લખ્યું છે કે, “દિલ્હીમાં પાંચ વર્ષની બાળકી પર બળાત્કાર...
મુંબઈમાં ઔડી કારે બેરીકેડ તોડી ચાર પોલીસોને ઘાયલ કર્યા
મુંબઈ – અહીં દક્ષિણ મુંબઈના મરીન ડ્રાઈવ વિસ્તારમાં ગઈ કાલે મોડી રાત્રે પૂરપાટ ગતિએ ભાગતી એક ઔડી કારે એક પોલીસ બેરીકેડને તોડ્યા બાદ પાંચ જણને હડફેટે લીધા હતા. એમાંના ચાર પોલીસકર્મીઓ છે, જે ઘાયલ થયા છે.
ઔડી કારના ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે. એનાં બ્લડ સેમ્પલ્સ લેવામાં...
ગેરકાયદેસર બિલ્ડીંગ તોડી પાડવા વિરૂદ્ધ ‘બંધ’નું એલાન
થાણેમાં ગેરકાયદેસર બિલ્ડીંગ વિરૂદ્ધ થઈ રહેલા ડિમોલિશ ડ્રાઈવ સામે ગુરૂવારે એનસીપી અને શિવસેનાએ ‘બંધ’નું એલાન જાહેર કર્યું છે. માનવામાં આવી રહ્યું છે કે ડિમોલિશન ડ્રાઈવ અંતર્ગત કેટલાયે નેતાઓનું પોતાનું ઘર તૂટવાનો ભય છે અને આ જ કારણે તેમણે બંધની જાહેરાત કરી છે.
ખાસ...
ઉદ્ધવ ઠાકરેએ વડા પ્રધાન પદનાં નામ સાથે મોદી પર નિશાન તાક્યું
મુંબઈ – આગામી લોકસભા ચૂંટણીમાં વડા પ્રધાન પદ માટે એનડીએના ઉમેદવારના નામની જાહેરાત કરવાની માંગ દિવસે દિવસે વધી રહી છે. હવે આ માંગણી ભાજપના મિત્ર પક્ષ શિવસેનાએ પણ કરી છે. આની સાથોસાથ શિવસેનાનાં પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ગુજરાતનાં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન તાક્યું...

