Archive: National news Subscribe to National news
અફઘાનિસ્તાનમાં ભૂકંપમાં ૪નાં મરણ; દિલ્હી-કશ્મીરમાં પણ આંચકો લાગ્યો
જલાલાબાદ (અફઘાનિસ્તાન) – અફઘાનિસ્તાનના પૂર્વ ભાગમાં સોમવારે બપોરે સ્થાનિક સમય મુજબ લગભગ અઢી વાગ્યે આવેલા ભૂકંપે ચાર જણનો ભોગ લીધો છે અને બીજાં લગભગ ૭૦ને ઘાયલ કર્યા છે. રીક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૬.૨ની નોંધાઈ છે.
આ ભૂકંપના આંચકા નવી દિલ્હી સહિત ઉત્તર ભારત અને જમ્મુ-કશ્મીરમાં...
રાજેશે આરૂષિ-હેમરાજને કઢંગી હાલતમાં જોતા હત્યા કરી: CBI
નવી દિલ્હી- આરૂષિ-હેમરાજ મર્ડર કેસમાં ડોક્ટર દંપતિ રાજેશ અને નુપૂર તલવાર પર ગાળિયો કસાતો જાય છે. આરૂષિ-હેમરાજ ડબલ મર્ડર કેસમાં સીબીઆઈનાં તપાસ અધિકારીએ તલવાર દંપતિ પર આંગળી ચીંધી છે. અધિકારીએ ગાઝિયાબાદની સીબીઆઈ કોર્ટમાં કહ્યું છે કે, આરૂષિ-હેમરાજનાં માતા-પિતા બંને હત્યારા...
લદાખમાં ચીનની દાદાગીરી, પાછળ હટવાથી ઈન્કાર કર્યો
લદાખમાં ભારતની સરહદ પર ચીની સૈનિકોની ઘૂસણખોરીએ સરકારની ચિંતા વધારી દીધી છે. મંગળવારે ભારત અને ચીન વચ્ચે બ્રિગેડિયર સ્તરની વાતચીત નિષ્ફળ થયા બાદ ભારતે દૌલત બેગ ઓલ્ડી સેક્ટરમાં સેનાની એક ટુકડી મોકલવાનો નિર્ણય કર્યો છે. જાણવા મળ્યું છે કે, ચીને દાદાગીરી દેખાડતા આ વિસ્તારને...
વડા પ્રધાનના રાજીનામાની માગણી સોનિયાએ ફગાવી
નવી દિલ્હી – કોલસા કૌભાંડના મામલે વિરોધ પક્ષે આજે સંસદને ગજાવી મૂકી છે. સંસદના બંને ગૃહમાં વિપક્ષી સભ્યોએ ઉહાપોહ મચાવ્યો છે.
ભાજપના સંસદીય પક્ષે નક્કી કર્યું છે કે તેના સંસદસભ્યો વડા પ્રધાન મનમોહન સિંહ અને કાયદા પ્રધાન અશ્વિની કુમારના રાજીનામાની માગણી માટે દબાણ કરવાનું...
બેંગ્લોર વિસ્ફોટ કેસ: ચેન્નાઈમાંથી ત્રણની ધરપકડ
બેંગ્લોર- ૧૭ એપ્રિલે ભાજપનાં કાર્યાલયની બહાર થયેલા વિસ્ફોટ કેસમાં ચેન્નાઈથી ત્રણ વ્યક્તિની ધરપકડ કરાઈ છે. આ ત્રણ પૈકી ચેન્નાઈમાંથી બે અને મદુરાઈમાંથી એકની ધરપકડ કરીને બેંગ્લોર વિસ્ફોટમાં પોલીસને પહેલી સફળતા મળી છે.
કર્ણાટક પોલીસની સાથે મળીને તપાસ કરી રહેલી રાષ્ટ્રીય...
ભારતના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ જે.એસ.વર્માનું નિધન
નવી દિલ્હી – દેશના ભૂતપૂર્વ વડા ન્યાયમૂર્તિ જગદીશ વર્માનું ગુડગાંવની મેદાંતા હોસ્પિટલમાં સોમવારે રાત્રે નિધન થયું છે. જસ્ટીસ વર્માનાં અંતિમ સંસ્કાર આજે મંગળવારે કરવામાં આવશે. તેઓ ૮૦ વર્ષના હતા. જસ્ટીસ જગદીશ શરન વર્મા બહુ ગાજેલા દિલ્હી ગેંગરેપ બાદ નિમાયેલી એન્ટી-રેપ...
2G કૌભાંડમાં રાજાનું રટણ; PM બધા નિર્ણયોથી વાકેફ હતા
નવી દિલ્હી – સેકન્ડ જનરેશન (2G) સ્પેક્ટ્રમની ફાળવણીના સંબંધમાં લેવાયેલા તમામ નિર્ણયોથી વડા પ્રધાન મનમોહન સિંહ વાકેફ હતા એવા પોતાના આક્ષેપનો પુનરોચ્ચાર કરીને ભૂતપૂર્વ ટેલિકોમ પ્રધાન એ. રાજાએ સોમવારે સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ની એમ કહીને ઝાટકણી કાઢી છે કે સમિતિએ...
રાજીનામું આપવાનો દિલ્હીના પોલીસ કમિશનરનો ઈનકાર
નવી દિલ્હી – દિલ્હીના પોલીસ કમિશનર નીરજ કુમારે શહેરના ગાંધીનગર વિસ્તારમાં પાંચ વર્ષની બાળકી પર કરાયેલા બળાત્કારના કિસ્સાના મુદ્દે હોદ્દા પરથી રાજીનામું આપવાની શક્યતાને નકારી કાઢી છે. તેમણે કહ્યું છે કે હું ૧૦૦૦ વાર રાજીનામું આપવા તૈયાર છું, પણ એનાથી કંઈ નહીં વળે....
ચીનની ઘૂસણખોરી: યોગ્ય પગલાં લેવાની સંરક્ષણ પ્રધાનની ખાતરી
નવી દિલ્હી – સંરક્ષણ પ્રધાન એ.કે. એન્ટનીએ કહ્યું છે કે ચીનના સૈનિકોએ ભારતીય પ્રદેશમાં ઊંડે સુધી કરેલી ઘૂસણખોરીને કારણે ઊભી થયેલી પરિસ્થિતિમાં ભારતના હિતોનું રક્ષણ કરવા સરકાર તમામ પગલાં લેશે.
અહીં સંસદભવનની બહાર પત્રકારોના સવાલોના જવાબમાં એન્ટનીએ કહ્યું કે, આપણા...
બળાત્કાર વિરૂદ્ધ દિલ્હીમાં દેખાવો, બંધ કર્યા ત્રણ મેટ્રો સ્ટેશન
નવી દિલ્હી- પાંચ વર્ષની બાળકી પર કરાયેલા બળાત્કારને લઈને દિલ્હીનાં રસ્તાઓ પર ઉતરેલા લોકો દિલ્હી સરકાર, કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસ વિરૂદ્ધ પોતાનો રોષ વ્યક્ત કરી સુત્રોચ્ચાર કરી રહ્યાં છે. આથી સુરક્ષાને ધ્યાનમાં રાખીને દિલ્હી મેટ્રોનાં ત્રણ સ્ટેશન હવે પછીનો આદેશ...

