Archive: National news Subscribe to National news
ઉત્તર ભારતમાં ૫.૭ની તીવ્રતાનો ધરતીકંપ, લોકો ઘરની બહાર નીકળી આવ્યા
નવી દિલ્હી- ભારતની રાજધાની દિલ્હી સહિત આખાય ઉત્તર ભારતમાં એકવાર ફરીથી ધરતીકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૭ની માપવામાં આવી છે અને તેનું કેન્દ્રબિંદુ જમ્મુ કાશ્મીરનાં ભદ્રવાહમાં હોવાનું જણાયું છે. જમ્મુ કાશ્મીરનાં ડોડામાં શાળાની દિવાલ પડી...
સોનિયા ગાંધી સંસદમાં ધાંધલ કરાવે છેઃ સુષ્માનો આરોપ
નવી દિલ્હી – ભારતીય જનતા પાર્ટીનાં સિનિયર નેતા અને લોકસભામાં વિપક્ષી નેતા સુષ્મા સ્વરાજે સંસદમાં અંધાધૂંધી ફેલાવવાનો કોંગ્રેસપ્રમુખ સોનિયા ગાંધી અને લોકસભાનાં સ્પીકર મીરા કુમાર પર આરોપ મૂક્યો છે. તેમણે કહ્યું છે કે આ બંને મહિલા નેતા ગૃહમાં મારાં ભાષણમાં ખલેલ પહોંચાડવાના...
શીખ-વિરોધી રમખાણોના કેસમાં સજ્જન કુમાર નિર્દોષ જાહેર
નવી દિલ્હી – ૧૯૮૪માં થયેલા રમખાણોમાં અઢી હજાર શીખ લોકોની હત્યા કરાયાના લગભગ ત્રણ દાયકા બાદ, આજે દિલ્હીની કડકડડુમા કોર્ટે તે રમખાણોના એક કેસમાં કોંગ્રેસના નેતા સજ્જન કુમારને નિર્દોષ જાહેર કર્યા છે, પરંતુ અન્ય પાંચ આરોપીને દોષી જાહેર કર્યા છે.
નાણાવટી તપાસ પંચની ભલામણના...
સજ્જન કુમારને નિર્દોષ જાહેર કરનાર જજ પર બૂટ ફેંક્યું, પકડાઈ ગયો
નવી દિલ્હી – અહીંની કડકડડૂમા કોર્ટે કોંગ્રેસના નેતા સજ્જન કુમારને ૧૯૮૪ના શીખ-વિરોધી રમખાણોના એક કેસમાં નિર્દોષ કર્યા બાદ ઓલ ઈન્ડિયા શીખ્સ સ્ટુડન્ટ્સ ફેડરેશનના પ્રમુખ કર્નેલ સિંહ પીર મોહમ્મદે કોર્ટરૂમની અંદર જજ તરફ એક બૂટ ફેંક્યું હતું. કર્નેલ સિંહને બાદમાં પકડી...
કોલગેટ: CBIનાં સોગંદનામા સામે સુપ્રીમ કોર્ટ નારાજ
નવી દિલ્હી- સુપ્રીમ કોર્ટમાં મંગળવારે કોલગેટ કેસની સુનાવણી થઈ છે. સુપ્રીમ કોર્ટે સીબીઆઈનાં સોગંદનામા અંગે નારાજગી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે એફિડેવિટમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે. સીબીઆઈનાં સોગંદનામાની વધુ સુનાવણી ૮ મેએ હાથ ધરાશે.
કોર્ટે ટિપ્પણી કરતા કહ્યું...
ચીનની દાદાગીરી! દૌલત બેગમાં લગાવ્યું વધુ એક ટેન્ટ
નવી દિલ્હી- લદાખનાં દૌલત બેગ ઓલ્ડીમાં પહેલા ઘૂસણખોરી કરી બેસેલા ચીન હવે વધારે દાદાગીરી કરી રહ્યું હોય એમ લાગે છે. ભારતનાં વિરોધને બાજુ પર મુકી ચીની સૈનિકોએ દૌલત બેગનાં ઓલ્ડીમાં વધુ એક ટેન્ટ લગાવી દીધુ છે. આ રીતે ચીને કુલ આ વિસ્તારમાં પાંચ ટેન્ટ લગાડી દીધા છે.
સુત્રોનાં...
સરબજીતને છોડી મૂકવા ભારત સરકારે વિધિસર અપીલ કરી
નવી દિલ્હી – લાહોરની જેલમાં સાથી કેદીઓના હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા અને જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતા ભારતીય કેદી સરબજીત સિંહને માનવતાને ખાતર છોડી દેવાની ભારત સરકારે પાકિસ્તાનને વિધિસર અપીલ કરી છે.
ભારત સરકારે એવી વિનંતી કરી છે કે પાકિસ્તાન સરબજીત સિંહને માનવતાને...
મનમોહન સિંહના રાજીનામાની માગણી; સંસદ ઠપ
નવી દિલ્હી – 2G સ્પેક્ટ્રમ કૌભાંડના મામલે ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળના વિપક્ષનો રોષ આજે પણ જરાય ઘટ્યો નથી અને વડા પ્રધાન મનમોહન સિંહ રાજીનામું આપે એવી માગણી તેમણે ચાલુ રાખી છે. આને કારણે સંસદના બંને ગૃહ – લોકસભા અને રાજ્ય સભામાં કાર્યવાહી ઠપ થઈ છે.
બંને ગૃહમાં...
હું રાહુલ ગાંધીને ખોટા પાડીને બતાવીશઃ મોદી
બેંગલોર – એક વ્યક્તિ દેશના એક અબજ લોકોની સમસ્યાઓને દૂર કરી શકે નહીં એવા રાહુલ ગાંધીના દાવાને ગુજરાતનાં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ પડકાર્યો છે અને કહ્યું છે કે હું એમને (રાહુલ ગાંધી)ને ખોટા પાડીશ અને પુરવાર કરીને બતાવીશ કે એક વ્યક્તિ બધું વ્યવસ્થિત કરી શકે છે.
મોદીએ...
સરબજીતની સારવારમાં મદદ કરવાની ભારતની ઓફર
નવી દિલ્હી/લાહોર – ફાંસીની સજા પામેલો ભારતીય કેદી સરબજીત સિંહ લાહોરની જિન્નાહ હોસ્પિટલમાં હજી પણ કોમામાં છે અને જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે ત્યારે ભારત સરકારે સરબજીતની સારવારમાં મેડિકલ સહાયતા પૂરી પાડવાની ઓફર કરી છે. સરકારે એમ પણ કહ્યું છે કે સરબજીતને સ્વદેશ...

