Archive: National news Subscribe to National news
મારું એકમાત્ર સપનું લોકોની સેવા કરવાનું છેઃ મોદી
હરિદ્વાર – જાણીતા યોગગુરુ બાબા રામદેવનાં અત્રેના પતંજલિ આશ્રમમાં હજારોની સંખ્યામાં હાજર રહેલા સંતો અને મહંતોને સંબોધિત કરતાં ગુજરાતનાં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ૨૧મી સદી જ્ઞાનની સદી છે અને ભારત જ્ઞાનની સદીનું નેતૃત્વ કરશે.
મોદી અહીં બાબા રામદેવ દ્વારા...
દેશની સેવા કરવાનું મોદીમાં સામર્થ્ય છે: બાબા રામદેવ
હરિદ્વાર – સંતો, ધાર્મિક આગેવાનો તથા ગુજરાતનાં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના કલ્યાણ માટે આજે હરિદ્વારમાં એક યજ્ઞ કર્યો છે. આ માટેનો પ્રસંગ છે યોગગુરુ બાબા રામદેવની સંસ્થા પતંજલિ આશ્રમ સંચાલિત નવી શાળા ‘આચાર્ય કુલમ’નું ઉદ્દઘાટન.
રામદેવે મોદીની પ્રશંસા કરતાં...
કોલસા કૌભાંડ: CBIએ સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી
નવી દિલ્હી- કોલસા કૌભાંડ મામલે સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી છે, જેમાં તપાસ એજન્સીએ દલીલ આપી છે કે પીએમઓને સ્ટેટસ રિપોર્ટ દેખાડ્યો હતો પરંતુ સરકારનાં દબાણમાં આવીને તેમણે કોઈ ફેરફાર નહોતો કર્યો.
સીબીઆઈનાં મુખ્ય અધિકારી રંજીત સિન્હાએ બે પેજનાં એફિડેવિટમાં...
મોદી હરિદ્વારમાં,પતંજલિ યોગપીઠ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ
હરિદ્વાર- હરિદ્વારમાં એક કાર્યક્રમમાં ગુજરાતનાં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે. મોદી હરિદ્વારમાં યોગ ગુરુ બાબા રામદેવનાં પતંજલિ યોગપીઠમાં થનારા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ છે. આ દરમિયાન મોદી સંતો સાથે મુલાકાત કરે તેવી પણ સંભાવના છે.
રામદેવનાં પતંજલિ યોગપીઠમાં...
ટ્રેનની ટિકિટો માટે એડવાન્સ બુકિંગ પીરિયડ ઘટાડીને ૬૦ દિવસ કરાયો
નવી દિલ્હી – દલાલોને થોકબંધ ટિકિટો કબજે કરી લેતા રોકવા માટે ભારતીય રેલવેએ ઝુંબેશ શરૂ કરી છે. તેના ભાગરૂપે તેણે ટિકિટોના એડવાન્સ બુકિંગ માટેના સમયગાળાને ચાર મહિનાથી ઘટાડીને હવે બે મહિનાનો કર્યો છે. આ નિયમ આવતી ૧ મેથી અમલમાં આવશે.
તેમ છતાં ૧૨૦ દિવસના હાલના એડવાન્સ્ડ...
કોઈમ્બતુરમાં એક્સિસ બેન્કમાં આગ, ૪ મહિલા કર્મચારીનાં મોત
કોઈમ્બતુર – અહીંથી નજીક આવેલા અવિનાશી વિસ્તારમાં આવેલા એક કોમ્પલેક્સની અંદર એક્સિસ બેન્કની એક શાખામાં આજે સવારે લગભગ ૧૦.૩૦ વાગ્યે ભયાનક આગ લાગતાં ચાર કર્મચારીનાં મરણ નિપજ્યા છે. મૃત્યુ પામેલી ચારેય વ્યક્તિ બેન્કની મહિલા કર્મચારી હતી. આગમાં ચાર જણને ઈજા થઈ છે.
બેન્કની...
2જી સ્પેક્ટ્રમ ફાળવણી કૌભાંડ: જેપીસીની બેઠક મોકૂફ
નવી દિલ્હી- 2જી સ્પેક્ટ્રમ કૌભાંડને લઈને બનેલી સંયુક્ત સભ્યોની સમિતિ(જેપીસી)નાં ડ્રાફ્ટ રિપોર્ટને લઈને સરકાર અને વિપક્ષને લઈને મળનારી બેઠક આજે શુક્રવારે ટીએમસીનાં સાંસદનાં નિધનનાં કારણે મોકૂફ રખાઈ છે. હવે પછી આ બેઠક ૨૯ એપ્રિલે મળશે.
રિપોર્ટમાં વડા પ્રધાન મનમોહન સિંહને...
ચીનના હેલિકોપ્ટરોએ ભારતની હવાઈ સીમાનો ભંગ કર્યો
લેહ/નવી દિલ્હી – એક બાજુ, ચીનના લશ્કરી જવાનોએ લદાખમાં દૌલત બેગ ઓલ્ડી (ડીબીઓ) સેક્ટરમાં ભારતની સરહદમાં ઘૂસી આવ્યા બાદ પાછા જવાનો ઈનકાર કર્યો છે ત્યારે બીજી બાજુ, ચીનના લશ્કરના બે હેલિકોપ્ટરોએ લેહ વિસ્તારમાં આવેલા ચુમાર ખાતે ભારતની હવાઈ સીમાનો ભંગ કર્યાની ઘટના પણ બની...
વડા પ્રધાનનું મૌન એમની સંડોવણીનું સમર્થન કરે છેઃ સિંહા
નવી દિલ્હી – પોતે વડા પ્રધાન મનમોહન સિંહ સાથે મસલત કર્યા બાદ જ 2G સ્પેક્ટ્રમની ફાળવણીના મોટા નિર્ણયો લીધા હતા એવું ભૂતપૂર્વ ટેલિકોમ પ્રધાન એ. રાજાએ સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ને જણાવ્યા બાદ ભાજપના નેતા યશવંત સિંહાએ વડા પ્રધાનને લેખિતમાં જણાવ્યું છે કે તમારે જેપીસી...
ગોવાના બીચ પર દારૂ પીવા પર પ્રતિબંધ
પણજી – ગોવાના સમુદ્રકિનારાઓ પર દારૂ પીવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે. તદુપરાંત દારૂની બાટલી અને ગ્લાસ લઈ જવાની પણ રાજ્યના પર્યટન વિભાગે મનાઈ ફરમાવી છે.
પર્યટન વિભાગે આ અંગે ભારતીય રીઝર્વ બટાલીયન (આઈઆરબી)ના જવાનોને સમુદ્ર કિનારાઓ પર તહેનાત કરવાનો અને પર્યટકો પર કડક...

