Archive: Sub Headlines Subscribe to Sub Headlines
૨૬ નવેમ્બર ૨૦૦૮: ક્યારેય નહીં ભુલાય…
૨૬ નવેમ્બર ૨૦૦૮ નો એ ગોઝારો દિવસ. જ્યારે માયાનગરી મુંબઈ આતંકવાદના ભયાવહ પડછાયા હેઠળ થરથરી ઉઠી. દાનવ બનીને આવેલા દસ આતંકવાદીઓએ આ શહેરમાં રીતસરની લોહીની હોળી રમી અને બોમ્બ ધડાકાઓ તથા ગોળીબાર કરીને અસંખ્ય લોકોને મોતને ઘાટ ઉતારી દીધા.
આ દિવસ ભારત દેશના ઈતિહાસના ચોપડે લોહીમાં...
માથેરાનની મિની ટ્રેન હવે મોટી થઈ
મુંબઈ – અહીંથી નજીક આવેલા હિલસ્ટેશન માથેરાન જતા પર્યટકો માટે ખુશખબર છે. નેરળ-માથેરાન વચ્ચે દોડાવાતી ટોય ટ્રેનમાં હવે વિશેષ ડબ્બા જોડવામાં આવ્યા છે. આ વિશેષ ડબ્બાઓમાં પર્યટકોને ખાસ સુવિધા આપવામાં આવી છે.
૬ જણનું કુટુંબ કે પર્યટકોનું ગ્રુપ આ વિશેષ ડબ્બામાં અલગ રીતે...
આખરે ૨૬/૧૧નાં પિડીતોને ન્યાય મળ્યો; કસાબને અપાઈ ફાંસી
૨૬ નવેમ્બર ૨૦૦૮….આ દિવસ ભારતના કરોડો નાગરિકો ક્યારેય ભૂલી નહી શકે. તે દિવસે પાકિસ્તાનના કરાંચીથી આવેલા ૧૦ આતંકવાદીઓએ કલાકો સુધી ભારતવાસીઓના શ્વાસ થંભાવી દીધા હતા..જેમાનાં ૯ આતંકી ઠાર મરાયા…પણ મોહમ્મદ અજમલ અમીર કસાબ નામનો આતંકવાદી જીવતો પકડાયો…
તે દિવસે મુંબઈમાં...
ઠાકરે વિશે ફેસબુક પર કોમેન્ટ/લાઈક કરવાનું યુવતીઓને ભારે પડ્યું
મુંબઈ- શિવસેનાના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેના નિધન બાદ તેમનાં અંતિમ સંસ્કારના દિવસ, રવિવારે મુંબઈ બંધ રખાયું તે અંગે ફેસબુક પર કમેન્ટ લખવા બદલ મુંબઈ નજીકના પાલઘર નગરની બે છોકરીની ધરપકડ કરવામાં આવી હતી અને અહીંની એક કોર્ટે તેમને ૧૪ દિવસની જેલની સજા પણ કરી હતી. જો કે બંને...
મહારાષ્ટ્રના રાજકારણ પર મજબૂત પકડના સ્વામી – બાલ ઠાકરે
મુંબઈ – બાલ ઠાકરેનો જન્મ ૨૩ જાન્યુઆરી, ૧૯૨૬માં તે વખતના મુંબઈ પ્રેસિડેન્સી સ્ટેટમાં આવેલા પુણેમાં એક મરાઠી પરિવારમાં થયો હતો.
એમની પત્નીનું નામ મીના ઠાકરે હતું. એમને ત્રણ પુત્રો છે. એમાંના સૌથી મોટા, બિંદુમાધવનું એક રોડ એક્સિડન્ટમાં મૃત્યુ થયું હતું.
બાલ ઠાકરેનું જન્મનું...
‘સ્વિસ બેન્કમાં ક્રિકેટરોનું પણ કાળું ધન છે’
નવી દિલ્હી – ઈન્ડિયા અગેન્સ્ટ કરપ્શનના અરવિંદ કેજરીવાલ બાદ સ્વિસ બેન્કના એક ભૂતપૂર્વ કર્મચારીએ ચોંકાવનારો દાવો કર્યો છે કે અનેક રાજકીય નેતાઓ અને પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય હસ્તીઓ ઉપરાંત કેટલાક ક્રિકેટરોનું પણ કાળું નાણું બેન્કમાં જમા કરાયું છે.
સ્વિસ બેન્કના ભૂતપૂર્વ...
પુષ્ય નક્ષત્રનો શુભ યોગ, સોના-ચાંદી ખરીદવાનું શ્રેષ્ઠ મુહર્ત
આજે પુષ્ય નક્ષત્ર છે. પુષ્ય નક્ષત્રનો શુભ યોગ હોવાથી સોની બજારમાં ખરીદી શરૂ થઈ ગઈ છે. ભારતીય પરંપરા પ્રમાણે આજનાં દિવસે સોના-ચાંદી કે મિલકતની ખરીદી કરવી એ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. આ સમયગાળામાં ખરીદી કરવા સહિત નંગની પુજા પણ કરવામાં આવે છે.
પુષ્ય નક્ષત્રને કારણે સોના-ચાંદીના...
હવે સ્લીપર-ક્લાસના મુસાફરો માટે આઈ-કાર્ડ ફરજિયાત
નવી દિલ્હી – આ વર્ષની ૧ ડિસેંબરથી બહારગામની ટ્રેનોના સ્લીપર-ક્લાસમાં મુસાફરી કરનાર વ્યક્તિએ પોતાની સાથે આઈડેન્ટિટી પ્રુફ રાખવું ફરજિયાત બનશે.
કાયદેસર લોકો જ ટ્રેન પ્રવાસે કરે એની તકેદારી રાખવા અને લુખ્ખાઓને ટિકિટોનો દુરુપયોગ કરતા રોકવા માટે રેલવે તંત્રે આ નિર્ણય...
જેને જોઈને અમિતાભનું હૃદય દ્રવી ઊઠ્યું…
મુંબઈ – અમિતાભ બચ્ચનનાં લોકપ્રિય ટીવી શો ‘કૌન બનેગા કરોડપતિ-૬’માં ઝારખંડની સોનાલી મુખરજી નામની એવી યુવતીને લાવવામાં આવી જે કેટલાક માથાફરેલ યુવાનોનાં અત્યાચારનો ભોગ બની છે.
૨૦૦૩માં પોતાની છેડતીનો વિરોધ કરનાર સોનાલી જ્યારે મકાનનાં ધાબા પર પોતાનાં પરિવાર સાથે...

