પ્રણવ મુખરજીઃ દેશના નવા રાષ્ટ્રપતિ?

Picture 1 of 4

નવા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે કેન્દ્રની યુપીએ સરકારના ઉમેદવાર તરીકે નાણાં પ્રધાન પ્રણવ મુખરજીના નામની જાહેરાત સરકારના અધ્યક્ષા અને કોંગ્રેસપ્રમુખ સોનિયા ગાંધીએ શુક્રવાર, ૧૫ જૂને કરી. નવી દિલ્હીમાં વડા પ્રધાન મનમોહન સિંહના નિવાસસ્થાને યુપીએના નેતાઓની બેઠકમાં ચર્ચા કર્યા બાદ સોનિયાએ મુખરજીના નામની સત્તાવાર રીતે ઘોષણા કરી. બેઠકને અંતે નેતાઓ તસવીરકારોને પોઝ આપે છે. રાષ્ટ્રપતિની ચૂંટણી ૧૯ જુલાઈએ છે, પરિણામ ૨૨ જુલાઈએ નિર્ધારિત છે. વિપક્ષ દ્વારા અબ્દુલ કલામનું નામ વિચારણા હેઠળ છે, પરંતુ મુખરજીને સર્વાનુમતે ચૂંટી કાઢવા યુપીએ સરકાર પ્રયત્નશીલ છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Gallery