US ગુરુદ્વારામાં ગોળીબાર; ભારતમાં રોષ

Picture 1 of 10

અમેરિકાના વિસ્કોન્સીન રાજ્યના ઓક ક્રીક શહેરના એક ગુરુદ્વારામાં રવિવાર, પાંચ ઓગસ્ટે એક અજાણ્યા શખ્સે કરેલા અંધાધૂંધ ગોળીબારમાં છ શીખ શ્રદ્ધાળુઓ માર્યા ગયા તે ઘટનાથી ભારતમાં શીખ લોકો સોમવારે રોષે ભરાયા હતા તથા અનેક ઠેકાણે દેખાવો કર્યા હતા અને વિરોધ વ્યક્ત કર્યો હતો. ઓક ક્રીકના ગુરુદ્વારામાં હુમલાખોરે કેટલાક લોકોને બંધક બનાવ્યા હતા, પણ પોલીસોએ પહોંચીને એને ઠાર કર્યો હતો. ગોળીબારમાં કેટલાક શ્રદ્ધાળુઓ ઘવાયા પણ છે. સોમવારે, હૈદરાબાદમાં યુએસ કોન્સ્યૂલેટની સામે શીખ લોકો અમેરિકા વિરોધી નારા લગાવે છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Gallery