મનમોહન સિંહ મ્યાનમારની યાત્રાએ

Picture 1 of 3

વડા પ્રધાન મનમોહન સિંહ મ્યાનમારની ત્રણ-દિવસીય યાત્રા માટે રવિવાર, ૨૭ મેએ મ્યાનમારના નાય પાઈ ટોવ ઈન્ટરનેશનલ એરપોર્ટ પહોંચ્યા ત્યારે તેમનું અને તેમના પત્ની ગુરશરણ કૌરનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું છે. મ્યાનમારના વિદેશ પ્રધાન ઉ વુન્ના માઉન્ગ લ્વીને તેમને આવકાર આપ્યો હતો. મનમોહન સિંહની આ યાત્રાથી બંને દેશ વચ્ચેના વ્યાપાર સંબંધો વધારે મજબૂત બનશે એવી ધારણા છે. મનમોહન સિંહ મંગળવારે યાન્ગુનમાં મ્યાનમારનાં વિપક્ષી નેતા ઓન્ગ સાન સૂ ચીને પણ મળશે. ૨૫ વર્ષના સમયગાળા બાદ કોઈ ભારતીય વડા પ્રધાન મ્યાનમારની યાત્રા પર ગયા છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Gallery