પાકિસ્તાનના વાણિજ્ય પ્રધાન ભારતમાં

Picture 1 of 4

પાકિસ્તાનના વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન મખ્દૂમ અમીન ફહીમ તેમના પ્રતિનિધિમંડળ સાથે ભારતની યાત્રા પર આવ્યા છે. શુક્રવાર, ૧૩ એપ્રિલે નવી દિલ્હીમાં ભારતના વાણિજ્ય પ્રધાન આનંદ શર્માએ તેમને આવકાર આપ્યો હતો. બાદમાં બંને પ્રધાને સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધી હતી જેમાં તેમણે બંને દેશ વચ્ચેના વ્યાપાર સંબંધો સુધારવા પર ભાર મૂક્યો હતો. પાકિસ્તાનના વાણિજ્ય સચિવ ઝફર મહમૂદ અને ભારતના વાણિજ્ય સચિવ રાહુલ ખુલ્લર પણ પત્રકાર પરિષદમાં હાજર રહ્યા હતા. ભારતે કહ્યું છે કે તે પાકિસ્તાનમાંથી ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટને મંજૂરી આપશે જેથી પાકિસ્તાનમાંથી ઉદ્યોગો ભારતની બજારમાં તેમનો બિઝનેસ આદરી શકે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Gallery