પવિત્ર રમઝાન અને રોજાનો ઉત્સાહ

Picture 1 of 9

રમઝાન મહિનાના પ્રારંભે શનિવાર, ૨૧ જુલાઈએ નવી દિલ્હીની જામા મસ્જિદમાં મુસ્લિમ બિરાદરો સૂર્યાસ્ત દરમિયાન તેમના દિવસના રોજા કે ઉપવાસના સમાપન અને ભોજન આરોગવાની રાહ જુએ છે. ઈસ્લામીક પંચાંગના બધા મહિનાઓમાં રમઝાન વધુ આદરણીય, પવિત્ર મહિનો ગણાય છે. આ મહિનાના ત્રીસે દિવસ મુસ્લિમ લોકો શ્રદ્ધાપૂર્વક રોજા અથવા ઉપવાસ રાખે છે અને દિવસ દરમિયાન કશું જ ખાવા,પીવા, ધૂમ્રપાન તથા અન્ય મોજશોખથી દૂર રહી પોતાની ઈચ્છાઓ , ભૂખ, તરસ બધું જ અલ્લાહને સમર્પિત કરી દે છે અને સંપૂર્ણ ભાવ સાથે અલ્લાહને યાદ કરે છે. આખો દિવસ ભૂખ્યા તરસ્યા રહેવાથી સમજાય છે કે ભૂખ શું છે. તેથી ભૂખ્યા લોકો પ્રત્યે હમદર્દી અને દયાનો ભાવ જાગે છે અને તે દાન કરવા પ્રેરાય છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Gallery