નવી દિલ્હી- આરોગ્ય નિષ્ણાંતોનું કહેવું છે કે સંતુલિત ભોજન ખૂબ જ જરૂરી છે. આડેધડ ડાઈટીંગ કરવાથી શરીરને ખુબ જ નુકસાન થાય છે.
જરૂર કરતા વધુ પ્રમાણમાં ખોરાક આરોગવાથી શરીરને નુકસાન થાય છે. વધુ પ્રમાણમાં ભોજન કરવાથી બચી ગયેલી વસ્તુ શરીરમાં ફેટના તરીકે જમા થાય છે. ફળ અને શાકભાજી કાર્બોહાઈડ્રેડથી ભરપૂર છે. આ ફળોનો ઉપયોગ આપણા શરીર માટે ખુબ જ લાભદાયી છે.
ભોજનમાં હંમેશા જુદા જુદા રંગનાં ફળો અને શાકભાજીનો ઉપયોગ કરો. એક નિયમ પ્રમાણે અને સંયમમાં રહીને જમવું એ પણ કસરતનો જ એક ભાગ છે. માટે પુરતું જમો હેલ્ધી જમો.



















