બ્રિટનના માન્ચેસ્ટરમાં ગઈ ૨૬ ડિસેંબરે ઠાર કરવામાં આવેલા ભારતીય વિદ્યાર્થી અનૂજ બિડવેને શુક્રવાર, ૬ જાન્યુઆરીએ તેના માતા યોગિની અને પિતા સુભાષ બિડવેએ પુષ્પાંજલિ આપી. તેઓ સાલફોર્ડમાં એ રસ્તા પર ગયા હતા અને એ સ્થળે પુષ્પાંજલિ અર્પણ કરી જ્યાં તેમના પુત્રની હત્યા કરવામાં આવી હતી. અનૂજની હત્યા માટે પોલીસે કીરાન સ્ટેપલ્ટન નામના યુવકની ધરપકડ કરી છે.












