Tag Archives: hike
ડિઝલની કિંમતમાં મહિને લિટર દીઠ ૪૦થી ૫૦ પૈસાનો વધારો
નવી દિલ્હી : આજે શુક્રવારે કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન વીરપ્પા મોઈલીએ ડીઝલમાં ભાવવધારો જાહેર કર્યો છે. આ સાથે તેમણે કહ્યુ છે કે ડીઝલની કિંમતમાં દર મહિને પ્રતિ લિટરે ૪૦થી ૫૦ પૈસાનો વધારો થતો રહેશે.
ઉલ્લેખનીય છે કે દેશની રાજકોષીય સ્થિતિને મજબૂત કરવા માટે નાણાં પ્રધાન...
ડિઝલ પાંચ રૂપિયા મોંઘું થયું; ભાવવધારો મધરાતથી અમલ
નવી દિલ્હી – કેન્દ્ર સરકારે આમ આદમીને મોટો ફટકો માર્યો છે. તેણે ડિઝલમાં લીટર દીઠ પાંચ રૂપિયાનો ઝીંકી દીધો છે. આ ભાવવધારો ગુરુવારે મધરાતથી અમલ થયો છે.
પેટ્રોલ, કેરોસીનના ભાવમાં કોઈ વધારો કરાયો નથી.
નવી દિલ્હીમાં ૭, રેસ કોર્સ રોડ સ્થિત વડા પ્રધાન મનમોહન સિંહના સત્તાવાર...
કેબિનેટની બેઠક મુલતવી, ઈંધણનો ભાવવધારો હાલપૂરતો ટળ્યો
નવી દિલ્હી – કેબિનેટ કમિટી ઓન પોલિટીકલ અફેર્સ (સીસીપીએ)ની બેઠક, જે મંગળવારે સાંજે મળવાની હતી અને જેમાં ડિઝલ તથા રાંધણ ગેસના ભાવમાં વધારો થવાની શક્યતા હતી, તે મુલતવી રાખવામાં આવી છે. પેટ્રોલિયમ પ્રધાન જયપાલ રેડ્ડીનું જો કે કહેવું છે કે ઈંધણના ભાવમાં વધારો કરવાનું અનિવાર્ય...
સોનું ૩૫,૦૦૦ના આંકડાને વટાવે તેવી શક્યતા
સોનું ખરીદવુ હોય તો જરા ઉતાવળ કરજો, નહીંતર નજીકનાં સમયમાં તેનાં ભાવ સાંભળી કદાચ સોનાને ખરીદવા આપ આપનાં મનને મનાવી નહીં શકો. આમ કહેવું છે બજારનાં નિષ્ણાંતોનું. જી હા, સોનાની કિંમત આસમાને જઈ રહી છે. નિષ્ણાંતોનું કહેવું છે કે ટૂંક સમયમાં ૧૦ ગ્રામ દીઠ સોનું ૩૫,૦૦૦ના આંકડાને...
રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ ડિઝલના ભાવ કદાચ વધારાશે
નવી દિલ્હી – કેન્દ્ર સરકાર રાષ્ટ્રપતિ પદની ચૂંટણી ૧૯ જુલાઈએ પૂરી થઈ જાય ત્યારબાદ ડિઝલના ભાવમાં વધારો કરે એવી શક્યતા છે. ઓઈલ મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે ડિઝલના ભાવ ઓછા રાખવા માટે સરકાર જે રકમ ચૂકવે છે એમાં તે હવે કાપ મૂકવા ઈચ્છે છે.
ડિઝલના ભાવમાં વધારો કરવાનું...
પેટ્રોલમાં ભાવવધારા સામે વિરોધ
Picture 1 of 3
Next
Previous
પેટ્રોલના ભાવમાં બુધવાર, ૨૩ મેની મધરાતથી લિટર દીઠ રૂ. ૭.૫૦નો વધારો કરી દેવાયા બાદ દેશભરમાં કેન્દ્રની યુપીએ સરકાર વિરુદ્ધ જનતામાં રોષ ફેલાયો છે. હૈદરાબાદમાં મુખ્ય વિરોધ પક્ષ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ રસ્તા પર ઊતરી આવીને દેખાવો...
૩૧ મેએ ભારત બંધઃ એનડીએ દ્વારા એલાન
નવી દિલ્હી – પેટ્રોલના ભાવમાં કરાયેલા આકરા વધારા અને સતત વધી રહેલી મોંઘવારી સામેના વિરોધમાં ભાજપની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક અલાયન્સે ૩૧ મેએ ભારત બંધનું એલાન કર્યું છે.
એનડીએના કન્વીનર અને જનતા દળ (યુનાઈટેડ)ના પ્રમુખ શરદ યાદવે કહ્યું છે કે બંધનો નિર્ણય લેતી...
પેટ્રોલ મોંઘું થતાં જનતામાં રોષ, સરકારના સાથી પક્ષો નારાજ
મુંબઈ – સરકારી માલિકીની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ – આઈઓસી, એચપીસીએલ અને બીપીસીએલે બુધવારે મધરાતથી અમલમાં આવે એ રીતે પેટ્રોલમાં લિટર દીઠ રૂ. ૬.૨૮નો ભાવ વધાર્યો છે. દરેક રાજ્યમાં સેલ્સ ટેક્સનો ઉમેરો કરાય તો આ વધારો લિટર દીઠ રૂ. ૭.૫૦નો થશે. સરકારના આ નિર્ણયથી ચારેકોર વિરોધ...
સરકારી કર્મચારીઓના ડીએમાં કરાયો ૭ ટકાનો વધારો
નવી દિલ્હી – કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં સાત ટકાનો વધારો કર્યો છે. કર્મચારીઓનું ડીઅરનેસ અલાવન્સ હવે ૫૮ ટકાથી વધીને ૬૫ ટકા થયું છે.
આ વધારાથી લગભગ ૫૦ લાખ જેટલા કેન્દ્રીય કર્મચારીઓ તથા ૩૦ લાખ જેટલા પેન્શનરોને લાભ થશે. ડીએનો આ વધારો આ વર્ષના જાન્યુઆરીથી...
ટ્રેનના ભાડાવધારામાં આંશિક ઘટાડો
નવી દિલ્હી – નવા રેલવે પ્રધાન મુકુલ રોયે એસી-ફર્સ્ટ ક્લાસ સિવાય સ્લીપર ક્લાસ, ઉપનગરીય ટ્રેન સેવા, એસી ચેર કાર અને એસી 3-ટાયર વર્ગોના ઉતારુ ભાડામાં કરાયેલો વધારો રદ કર્યો છે. તેમણે આ માટે કહ્યું છે કે હું આમ આદમી પરનો આર્થિક બોજો ઘટાડવા માગું છું.
રેલવે પ્રધાને એસી 2-ટાયર,...

