કહેવત: મરચાં લાગવાં

 

 મરચાં લાગવાં

 

કોઈ પણ બાબતે લાગણી અતિ તીવ્ર બની ઊઠે, અપમાનિત થવાની પરિસ્થિતીનું સર્જન થાય, અકળાઇ ઉઠાય અને ન આમ કે તેમ કશું જ ન સૂઝે ત્યારે ખૂબ માઠું લાગ્યું હોય કે એકદમ રીસ ચઢી હોય તેવો ભાવ મનમાં પેદા થાય.

જેમ મરચાંવાળો હાથ આંખે અડે અને આંખોમાં એકદમ બળતરા ઊઠે તે રીતે કોઈ વાતથી અપમાનિત થવાય અને ખરાબ લાગે.

શરીરનું રોમરોમ તીવ્ર વેદનાથી સળગી ઉઠ્યું હોય તેવો અનુભવ થાય ત્યારે આ કહેવત વપરાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રીટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)