જર દેખી મુનિવર ચળે

 

જર દેખી મુનિવર ચળે

 

 

આ કહેવતના સંદર્ભમાં નીચેની પંક્તિઓ ખૂબ અસરકારક રીતે એનો મર્મ સમજાવી દે છે.

જર દેખી મુનિવર ચળે, ત્રિયા પસારે હાથ,

ચડ્યાં રણ ઊતરે, જો ગાંઠે હોયે ગરથ

(ત્રિયા – સ્ત્રી, રણ – ઋણ; દેવું, ગરથ – ધન) પૈસો આવે તો મુનિ, પત્ની, લેણદાર બધાં દોડ્યાં આવે. પૈસો ભલભલાને લોભાવે છે અને એમાંથી સંસાર ત્યાગીને સન્યસ્ત અપનાવી ચૂકેલા સાધુઓ અથવા તપોનિષ્ઠ મુનિઓ પણ બાકાત નથી.

આમ લક્ષ્મી માત્ર સંસારીને જ લલચાવે છે એવું નહીં ભલભલા સંયમીને પણ આકર્ષે છે અને એવી વ્યક્તિ ઉચ્ચ સાધનામાં રત એવા મુનિ હોય તો પણ એ ચલિત થાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)