વાર્યા ન વળે તે હાર્યા વળે

 

વાર્યા ન વળે તે હાર્યા વળે

 

માણસ ક્યારેક પોતાના તોરમાં હોય અથવા સત્તા કે યુવાનીના મદમાં હોય ત્યારે એને લાખ સમજાવો, કેટલીક બાબતો મગજમાં ઊતરતી નથી. એ પોતાની રીતે જ કામ કરવા ચાહે છે.

કોઇની સલાહ અથવા સૂચન એને મંજૂર નથી. આ રીતે સમજાવવાથી જે ન સમજે તે નિષ્ફળતા મળતાં આપમેળે ઠેકાણે આવે. કંઈ ઉપાય ન ચાલે ત્યારે આપમેળે ઠેકાણે આવે.

જે માણસ પહેલાં સમજે નહિ તે પરાજય પામ્યા પછી સમજે. આ સંદર્ભમાં વાર્યા ન વળે તે હાર્યા વળે કહેવત વપરાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)