રાણીને કુંવર અવતરે તો ગામ આખું ખાટું ન ખાય?

 

રાણીને કુંવર અવતરે તો ગામ આખું ખાટું ન ખાય ?

 

આમ તો રાજાશાહીમાં રાજા એટલે માલિક-માઇબાપ. એના ત્યાં કંઈ પણ ઘટના બને તો ચાપલૂસો એકએકથી ચડિયાતી ચમચાગીરી કરવામાં લાગી જાય.

આ ચમચાગીરીની પરાકાષ્ઠા ત્યારે આવે જ્યારે રાજાની રાણીને દીકરો આવે અને એના પ્રતિભાવરૂપે આખું ગામ ખાટું ખાવાનું બંધ કરી દે.

કોઈ પણ પરિસ્થિતીમાં અત્યંત અતિશયોક્તિભર્યો પ્રતિભાવ અપેક્ષિત હોય ત્યારે એ અપેક્ષાની પણ મર્યાદા હોવી જોઈએ એવું કહેવા માટે આ પ્રકારની કહેવત પ્રયોજાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)