GalleryNews & Event યુદ્ધજહાજ ‘INS તારાસા’ ભારતીય નૌકાદળમાં સામેલ કરાયું… September 26, 2017 ભારતીય નૌકાદળના વાઈસ-એડમિરલ અને વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ ગિરીશ લુથરાએ 26 સપ્ટેંબર, મંગળવારે મુંબઈમાં નેવલ ડોકયાર્ડ ખાતે ‘INS તારાસા’ યુદ્ધજહાજને ભારતીય નૌકાદળમાં સામેલ કરવાની પરંપરાગત વિધિ સંપન્ન કરી હતી. 400 ટન વજનના આ નિરીક્ષક યુદ્ધજહાજને કોલકાતાસ્થિત ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનીયર્સ લિમિટેડ કંપની દ્વારા સ્વદેશી ટેક્નોલોજીથી બનાવ્યું છે. ‘INS તારાસા’ આધુનિક ડિઝલ એન્જિન્સ, અત્યાધુનિક મશીનરી કન્ટ્રોલ સિસ્ટમ, વોટર જેટ્સથી સુસજ્જ છે. આ યુદ્ધજહાજ ભારતીય નૌકાદળની તટીય દેખરેખ અને સુરક્ષાની ક્ષમતાને વધારશે. આ યુદ્ધજહાજ 35 નોટ પ્રતિ કલાક એટલે કે 64.82 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચલાવી શકાશે. આ યુદ્ધજહાજ પર 19 CRN તોપ છે અને 30 MM તોપ છે, જે પાંચ કિલોમીટરના અંતરે રહેલા ટાર્ગેટને ફૂંકી મારવા માટે સક્ષમ છે. આ યુદ્ધજહાજ પર આધુનિક કમ્યુનિકેશન્સ યંત્રણા તેમજ રડાર સિસ્ટમ છે જેથી નૌસૈનિકો ભારતીય સમુદ્રમાં કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર કે આતંકવાદી હિલચાલ પર નજર રાખી શકશે. ‘INS તારાસા’નું નામકરણ આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહના એક ટાપુના નામથી પ્રેરિત છે. (તસવીરોઃ દિપક ધુરી) ભારતીય નૌકાદળના વાઈસ-એડમિરલ અને વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ ગિરીશ લુથરા