કર્ણાટકના ગૃહ પ્રધાનનું ઉમદા કાર્ય

305

કર્ણાટકના ગૃહ પ્રધાન બાસવરાજ બોમ્માઈએ હાવેરી જિલ્લાના શિગાવી ગામમાં એમના મતવિસ્તારમાંના નિવાસસ્થાનને કોવિડ કેર સેન્ટરમાં પરિવર્તિત કર્યું છે. ત્યાં કોરોનાવાઈરસના 50 દર્દીઓને રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે. બાસવરાજે આ દર્દીઓની સારવાર અને દેખભાળ કરવા માટે ડોક્ટરો તથા મેડિકલ સ્ટાફને નિયુક્ત કર્યો છે. બાસવરાજ હવે આ કેન્દ્ર માટે ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ પણ મેળવી રહ્યા છે.