મોદી સરકારના નિર્ણયને અમદાવાદીઓએ વધાવ્યો

રાજ્યસભામાં  ગૃહપ્રધાન અમિત શાહે આર્ટિકલ 370 હટાવવા અને જમ્મુ અને કાશ્મીરના પુનર્ગઠનનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

મોદી સરકારના જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો સમાપ્ત કરવાના નિર્ણયની ગુજરાતભરમાં ઉજવણી, ‘મોદી હૈ તો મુમકીન હૈ’ના લાગ્યા નારા.

જેને પગલે સમગ્ર દેશની સાથે સાથે ગુજરાતમાં પણ ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના અમદાવાદથી લઈ રાજકોટ સહિતના વિવિધ શહેર અને તાલુકા તથા ગામોમાં ઉજવણી થઈ રહી છે.

અમદાવાદના મણિનગરમાં લોકોએ રસ્તા પર ફટાકડા ફોડી આ નિર્ણયને વધાવ્યો હતો

મણિનગરમાં લોકોએ ‘મોદી હૈ તો મુમકીન હૈ’ના બેનર સાથે નારા પણ લગાવ્યા હતા.

તસવીર: પ્રજ્ઞેશ વ્યાસ