વારાણસીમાં ફ્લાયઓવર દુર્ઘટના…

 

ઉત્તર પ્રદેશના વારાણસી શહેરના કેન્ટોનમેન્ટ વિસ્તારમાં 15 મે, મંગળવારે સાંજે બાંધકામ હેઠળના એક ફ્લાયઓવરનો એક હિસ્સો તૂટી પડતાં 18 જણનાં કરુણ મરણ નિપજ્યા છે. આ દુર્ઘટનામાં બીજા 50થી વધુ જણ ઘાયલ થયા છે. પૂલના કાટમાળ નીચે અનેક કાર ચગદાઈ ગઈ હતી. ફ્લાયઓવરનું બાંધકામ ઉત્તર પ્રદેશ સ્ટેટ બ્રિજ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે.