જોઈ લો, સંજય દત્તની ફિલ્મ ‘આખરી સવાલ’ની ટ્રેલર લૉન્ચ ઈવેન્ટ

સંજય દત્તની આગામી ફિલ્મ ‘આખરી સવાલ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર જોઈને એવું લાગે છે કે આ ફિલ્મ સીધી સિસ્ટમ પર હુમલો કરે છે. મુંબઈમાં એક ઈવેન્ટમાં ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. ઈવેન્ટમાં સંજય દત્ત સહિતના ફિલ્મના કલાકારો સામેલ થયા હતાં.

RSS પર આધારિત ફિલ્મનું દિગ્દર્શન અભિજીત મોહન વારંગે કર્યું છે. તેનું નિર્માણ નિખિલ નંદા અને સંજય દત્તે કર્યું છે. આ ફિલ્મ 15 મે, 2026ના રોજ હિન્દી, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષામાં થિયેટરોમાં રિલીઝ થવાની છે.

ટ્રેલરમાં સંજય દત્ત એક પ્રોફેસરની ભૂમિકામાં જોવા મળે છે. ટ્રેલરમાં સમીરા રેડ્ડી અને નમાશી ચક્રવર્તી પણ છે. તે બંને સંજય દત્તને અનેક મુખ્ય રાષ્ટ્રીય મુદ્દાઓ પર પ્રશ્નો પૂછતા જોવા મળી રહ્યા છે.

આ ટ્રેલર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)સાથે સંબંધિત ઐતિહાસિક ઘટનાઓ વિશે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. તે મહાત્મા ગાંધીની હત્યામાં RSSની કથિત સંડોવણી, બાબરી મસ્જિદનો ધ્વંસ અને કટોકટી જેવા સંવેદનશીલ વિષયોને સંબોધિત કરે છે.

(તસવીરો: માનસ સોમપુરા)