નવી દિલ્હીઃ એશિયા કપ 2025 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત થઈ છે. નવ સપ્ટેમ્બરથી શરૂ થનારી આ મલ્ટિનેશનલ ટુર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયાની આગેવાની શુભમન ગિલ કરતા જોવા મળશે. માર્ચ 2025 બાદ પહેલી વાર ભારત લિમિટેડ ઓવર્સ ફોર્મેટમાં રમશે. તે પહેલાં ફેબ્રુઆરી-માર્ચમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફી ભારતે પોતાને નામે કરી હતી. ટીમ ઇન્ડિયા એશિયા કપની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. 2023માં તેમણે ખિતાબ જીત્યો હતો. તે વર્ષે આ ટુર્નામેન્ટ વન-ડે ફોર્મેટમાં રમાયો હતો.
શુભમન ગિલ બન્યો ઉપકપ્તાનટીમની જાહેરાત પહેલાં શુભમન ગિલને ભારતની T20 ટીમમાં પાછો આવ્યો છે અને તેને આ ટુર્નામેન્ટ માટે ઉપકપ્તાન બનાવાયો છે. યશસ્વી જયસવાલ ટીમમાં જગ્યા બનાવી શક્યો નથી. શ્રેયસ અય્યરનું નામ પણ સ્ક્વોડમાં નથી. આ સ્ક્વોડમાં બે વિકેટકીપર સંજુ સેમસન અને જિતેશ શર્માને સ્થાન મળ્યું છે.
🚨 A look at #TeamIndia‘s squad for #AsiaCup 2025 🔽 pic.twitter.com/3VppXYQ5SO
— BCCI (@BCCI) August 19, 2025
રોહિત અને વિરાટ નહીં રમે એશિયા કપ
2026માં T20 વર્લ્ડ કપ થવાનો છે, એટલે આ વખતે એશિયા કપ T20 ફોર્મેટમાં રમાશે. ભારતના બે દિગ્ગજ ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલી આ ટુર્નામેન્ટમાં જોવા નહીં મળે. બંને ખેલાડીઓએ T20 વર્લ્ડ કપ 2024 જીત્યા બાદ T20Iમાંથી નિવૃત્તિ લીધી હતી. હવે તેમના વિના ટીમ ઇન્ડિયા એશિયા કપમાં કેવું પ્રદર્શન કરે છે તે જોવું રસપ્રદ રહેશે.
ભારત-પાકિસ્તાનનો મહામુકાબલો
એશિયા કપ 2025માં ટીમ ઇન્ડિયા પોતાનો પ્રારંભિક મુકાબલો 10 સપ્ટેમ્બરે UAE સામે રમશે, પરંતુ ફેન્સને સૌથી વધુ આતુરતા છે 14 સપ્ટેમ્બરના ભારત-પાકિસ્તાન મુકાબલાની, જે દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. આ ટુર્નામેન્ટમાં ફેન્સને ત્રણ વખત ભારત-પાકિસ્તાન મુકાબલો જોવા મળી શકે છે.
એશિયા કપ 2025 માટેની ટીમ
સૂર્યકુમાર યાદવ (કપ્તાન), શુભમન ગિલ (ઉપકપ્તાન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા,
શિવમ દુબે, અક્ષર પટેલ, જિતેશ શર્મા (વિકેટકીપર), જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી,
કુલદીપ યાદવ, સંજુ સેમસન (વિકેટકીપર), હર્ષિત રાણા, રિંકુ સિંહ.
