ગુજરાત એટીએસ દ્વારા ગાંધીનગર ખાતેથી ઝડપી પાડવામાં આવેલા ત્રણ આતંકવાદીઓને હવે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને સોંપવામાં આવ્યા છે. ટ્રાન્સફર વોરંટના આધારે NIAએ આ ત્રણેય આતંકીઓની કસ્ટડી મેળવી છે.

NIAની સ્પેશિયલ કોર્ટે આ ત્રણેય આતંકવાદીઓના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જેના પગલે NIA દ્વારા હવે આ કેસમાં સઘન તપાસ શરૂ કરવામાં આવશે. તપાસ દરમિયાન આતંકવાદીઓના મોબાઈલ ફોનમાંથી મહત્ત્વના પુરાવાઓ મળ્યા છે, જેમાં પાકિસ્તાની નંબરો સાથે વાતચીત થયા હોવાનું સામે આવ્યું છે.
પ્રાથમિક તપાસમાં વધુ ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ ત્રણેય આતંકીઓ કુલ 73 જેટલા સાગરીતોના સંપર્કમાં હતા. હવે NIA આ તમામ સંપર્કો અને આતંકીઓના નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ કરશે. આ ત્રણેય આતંકીઓ રાજ્યમાં કોઈ મોટા ષડયંત્રને અંજામ આપવાની ફિરાકમાં હતા કે કેમ, તે દિશામાં NIA દ્વારા હવે સઘન પૂછપરછ કરવામાં આવશે.




