આમિર ખાન સ્ટ્રેસમાં હોય ત્યારે કરે છે આ કામ

અભિનેતા આમિર ખાન હાલમાં તેની ફિલ્મ ‘એક દિન’ માટે સમાચારમાં છે. તેણે તાજેતરમાં જ ખુલાસો કર્યો કે તે હજુ પણ દરેક ફિલ્મ પહેલાં તણાવમાં રહે છે. એ પણ જણાવ્યુ કે સ્ટ્રેસમાં હોય ત્યારે તે શું કરે છે.

અમિર ખાન સ્ટ્રેસમાં હોય ત્યારે તે મન્સૂર ખાનની મદદ લે છે. આમિર ખાન અને મન્સૂર ખાનનો સંબંધ ઘણો જૂનો છે. તેઓ પિતરાઈ ભાઈ-બહેન છે અને સાથે મળીને તેમણે આમિર ખાનની બ્લોકબસ્ટર ડેબ્યૂ ફિલ્મ “કયામત સે કયામત તક” માં અભિનય કર્યો હતો. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં આમિર ખાને ખુલાસો કર્યો કે તે દર વખતે જ્યારે પણ ફ્લાઇટમાં બેસે છે ત્યારે મન્સૂર ખાન માટે ” સિક્રેટ નોંધ” લખે છે.

આમિર ખાને ધ હોલીવુડ રિપોર્ટર ઇન્ડિયાને કહ્યું કે “જ્યારે શૂટિંગ પૂરું થાય છે અને અમે અંતિમ પોસ્ટ-પ્રોડક્શનમાં હોઈએ છીએ, ત્યારે હું હંમેશા મન્સૂર માટે એક નોંધ લખું છું.”

તેમણે ઉમેર્યુ કે જો મારું વિમાન ક્રેશ થાય કે હું મરી જાઉં તો ફિલ્મનું શું થશે તે વિચારીને હું હંમેશા ખૂબ જ તણાવમાં રહું છું. તેથી હું દિગ્દર્શકને મન્સૂરની સલાહ લેવાનું કહું છું, અને હું મન્સૂરને કહું છું કે તે કામ સંભાળે. હું દર વખતે ફ્લાઇટમાં ચઢતા પહેલા આવું કરું છું.

કિરણ રાવને સલાહ આપવામાં આવી

માત્ર નોંધ જ નહીં, આમિર ખાને તેની ભૂતપૂર્વ પત્ની કિરણ રાવને પણ કહ્યું છે કે જો તેને કંઈક થાય, તો તેણે બાકીના કામ માટે ચોક્કસપણે મન્સૂર ખાનની સલાહ લેવી જોઈએ.

આમિરે આગળ કહ્યું, “તે એક એવી વ્યક્તિ છે જેની સમજણ પર મને સંપૂર્ણ વિશ્વાસ છે. મેં કિરણને ઘણી વાર કહ્યું છે કે જો મને કંઈક થાય, તો તેણે બધું કરતા પહેલા મન્સૂરની સલાહ લેવી જોઈએ.” આ અંગે પ્રતિક્રિયા આપતા મન્સૂર ખાને કહ્યું, “મને તાજેતરમાં જ આ વિશે ખબર પડી, અને હવે હું ખૂબ પ્રેશરમાં છું.”

ફિલ્મ “એક દિન” વિશે

“એક દિન” ની વાર્તા ઓફિસના સાથીદારો દિનેશ (જુનૈદ) અને મીરા (પલ્લવી) ની આસપાસ ફરે છે. દિનેશ મીરાના ખૂબ પ્રેમમાં છે. જાપાનની ઓફિસ ટ્રીપ દરમિયાન નસીબના ઘંટડી પર તેણીની એક ઇચ્છા પૂર્ણ થાય છે. હકીકતમાં, એક અકસ્માતને કારણે મીરા થોડા સમય માટે તેની યાદશક્તિ ગુમાવી દે છે અને દિનેશને તેનો બોયફ્રેન્ડ માનવા લાગે છે. આખી ફિલ્મ આ વાર્તા પર ટકી છે.