અમદાવાદઃ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ આજે કામદાર કલ્યાણ, સ્થાનિક રોજગાર અને ઉદ્યોગસાહસિકતા પર કેન્દ્રિત વૃદ્ધિદાયક વ્યૂહરચના પ્રસ્તુત કરી હતી. આ વ્યૂહરચનાના ભાગરૂપે અદાણી ગ્રુપ મજબૂત તરલતા દ્વારા મૂડી ખર્ચને વેગ આપે છે. આંતરરાષ્ટ્રીય મજૂર દિન પ્રસંગે પર અદાણી સમૂહના કર્મચારીઓને સંબોધતાં તેમણે જણાવ્યું હતું કે ૨૪ રાજ્યોમાં ૭૦૦થી વધુ અસ્ક્યામતોનું સંચાલન અને લગભગ ચાર લાખ કર્મચારીઓ, ભાગીદારો અને કોન્ટ્રેક્ટરોને જોડતા અને તેના કાર્યબળને રાષ્ટ્ર નિર્માણના કેન્દ્રમાં રાખતા અદાણી સમૂહની પ્રગતિને સંપત્તિઓ મારફત સર્જવામાં આવેલી આજીવિકાની તકો અને સમુદાયોને સક્ષમ અને તાકાતવાન બનાવવાના માપદંડથી તોલશે.
તેમણે કહ્યું હતું કે તમે ફક્ત કર્મચારીઓ નહીં, પરંતુ રાષ્ટ્રનિર્માતા છો. આપણે કોઈ પ્રકલ્પ પૂર્ણ કરીએ છીએ, ત્યારે આપણે ફક્ત કાર્ય પૂરું કરતા નથી, પરંતુ આપણે દેશના ભવિષ્યને કંડારીએ છીએ. તેમણે અદાણી સમૂહનો ઇરાદો સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે અદાણી સમૂહના પ્રક્લ્પોના સ્થળે સ્થાનિક લોકોની ભરતીને પ્રાથમિકતા અપાશે, પહેલા સ્થળ નજીકના લોકોને, બાદના ક્રમે રાજ્યના ઉમેદવારોને અને જરૂર પડે ત્યાં બહારના ઉમેદવારોને તકો અપાશે.
તેમણે કહ્યું હતું કે અદાણી સમૂહની વ્યૂહરચનાનો મુખ્ય આધારસ્તંભ કામદાર કલ્યાણ છે. તેમણે માહિતી આપતાં કહ્યું હતું કે મોટા આંતર માળખાકીય કામકાજના સ્થળો મુન્દ્રા અને ખાવડામાં ૫૦,૦૦૦ કામદારો માટે અદાણી એર-કન્ડિશન્ડ રહેઠાણનું નિર્માણ કરવા સાથે દૂરનાં સ્થળોએ જીવનધોરણ સુધારવાના હેતુથી ગુજરાતના મુન્દ્રામાં એક કેન્દ્રીયકૃત ક્લાઉડ કિચન પણ બનાવી રહ્યું છે. આ કિચન દરરોજ ૧,૦૦,૦૦૦ લોકોને પૌષ્ટિક ભોજન પીરસશે.
અદાણીએ કહ્યું હતું કે આ કોઈ વિશેષાધિકાર નહીં, પણ એક જરૂરિયાત છે. દરેક કર્મચારીને ગૌરવ સાથે જીવવાનો અને કામ કરવાનો અધિકાર છે. તેમણે અદાણી સમૂહના ઉદ્યોગોના સંચાલન સંબંધી કામકાજની વ્યૂહરચના વિષે કહ્યું હતું કે મજબૂત તરલતા અને મૂડીની પહોંચ દ્વારા સમર્થિત ત્રણ સ્તંભોમાં પથરાયેલી આ વ્યૂહરચનાને કારણે મૂડીખર્ચની ઝડપી વ્યવસ્થા અને પ્રકલ્પની ઝડપી અમલવારીને સક્ષમ બનાવે છે.
Watch: Adani Group Chairman Gautam Adani says, “There was a time when I set out for Mundra with only 20 people. We used to leave Ahmedabad at four in the morning, reach Mundra, and then stay there the entire week overseeing the work. At that time, there were only around 300–400… pic.twitter.com/xELAoDpCYB
— IANS (@ians_india) May 1, 2026
મુન્દ્રા બંદર, ખાવડાનો નવીનીકરણીય ઊર્જા પાર્ક, નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક અને ગંગા એક્સપ્રેસવે સહિતના મુખ્ય પ્રકલ્પોને રાષ્ટ્રીય વિકાસ ધારા સાથે જોડતાં તેમણે કહ્યું હતું કે સમૂહની આ તમામ પહેલો ભારતના લોજિસ્ટિક્સ, ઊર્જા અને માળખાગત નેટવર્કની કરોડરજ્જુને મજબૂત બનાવી રહી છે. આ પ્રકલ્પો માત્ર મિલકતો નથી, પરંતુ તે રાષ્ટ્રીય પ્રગતિનાં સાધનો હોવાનું તેમણે કહ્યું હતું.




