એશિયા કપ 2025નું શેડ્યૂલ જાહેર થયું છે. આ ટુર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર સુધી યુએઈમાં રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 14 સપ્ટેમ્બરે રમાશે. ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. આ ટુર્નામેન્ટ ટી20 ફોર્મેટમાં રમાશે, જે આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2026 ની તૈયારીઓના ભાગ રૂપે નક્કી કરવામાં આવ્યું છે. તે વર્લ્ડ કપ ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે આયોજિત કરવામાં આવશે.
ભારત-પાકિસ્તાન એક જ ગ્રુપમાં
4 ટીમોને અલગ અલગ ગ્રુપમાં રાખવામાં આવી છે. ભારત-પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવી છે. ગ્રુપ-એમાં ભારત, પાકિસ્તાન, યુએઈ અને ઓમાનની ટીમો છે. ગ્રુપ બીમાં શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને હોંગકોંગનો સમાવેશ થાય છે.
આ ટુર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી શરૂ થશે. પહેલી મેચ અફઘાનિસ્તાન અને હોંગકોંગ વચ્ચે રમાશે. ભારતનો પહેલો મેચ 10 સપ્ટેમ્બરે યુએઈ સામે થશે. ભારતનો બીજો મુકાબલો 14 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે છે. આજે રવિવાર છે. ભારતનો ત્રીજો મુકાબલો 19 સપ્ટેમ્બરે ઓમાન સામે છે.
8 ટીમો ભાગ લઈ રહી છે
એશિયા કપના આગામી સંસ્કરણમાં આઠ ટીમો ભાગ લેશે. તેમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, હોંગકોંગ, ઓમાન અને સંયુક્ત આરબ અમીરાતનો સમાવેશ થાય છે. ટુર્નામેન્ટમાં આઠ ટીમોને ચાર-ચારના બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારત, પાકિસ્તાન, યુએઈ અને હોંગકોંગને ગ્રુપ A માં મૂકવામાં આવ્યા છે. અફઘાનિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને ઓમાનને ગ્રુપ B માં સ્થાન મળ્યું છે.
રાજકીય તણાવને કારણે ભારત-બાંગ્લાદેશ શ્રેણી મુલતવી રાખવામાં આવી
BCCI એ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના રાજદ્વારી તણાવને ટાંકીને ઢાકામાં ACC બેઠકમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો હતો. BCCI ના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ વર્ચ્યુઅલી બેઠકમાં ભાગ લીધો હતો. આ તણાવને કારણે, ઓગસ્ટ 2025 માં પ્રસ્તાવિત ભારત-બાંગ્લાદેશ દ્વિપક્ષીય શ્રેણી અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવી છે.
