અમદાવાદ: અદાણી ગ્લોબલ ઈન્ડોલોજી કોન્ક્લેવ 20 થી 22 નવેમ્બર 2025 દરમિયાન અદાણી કોર્પોરેટ હાઉસ (ACH) ખાતે યોજાઈ રહ્યું છે. આ પ્રસંગે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં ભારતની સભ્યતાના જ્ઞાનની જાળવણી, માળખું અને ભવિષ્યને સુરક્ષિત કરવાની વાત કરી. જેમાં તેમણે આ માટે રચાયેલ પ્રથમ ડિજિટલ માળખું-ભારત નોલેજ ગ્રાફ બનાવવાની સીમાચિહ્નરૂપ પ્રતિબદ્ધતાની જાહેરાત કરી હતી.
અદાણી ગ્રુપ, શિક્ષણ મંત્રાલયની ઇન્ડિયન નોલેજ સિસ્ટમ્સ (IKS) ના સહયોગથી ભારતની સંસ્કૃતિ, ભાષાઓ, ફિલસૂફીઓ, વિજ્ઞાન અને સાંસ્કૃતિક વારસાના વૈશ્વિક શૈક્ષણિક અભ્યાસ-ઈન્ડોલોજીને પુનર્જીવિત કરવા માટે ત્રણ દિવસીય ગ્લોબલ ઈન્ડોલોજી કોન્ક્લેવનું આયોજન કરી રહ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્ય સંબોધન આપતા ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, “શરૂઆત તરીકે, હું ભારત નોલેજ ગ્રાફ બનાવવા અને આ ઈન્ડોલોજી મિશનમાં યોગદાન આપનારા વિદ્વાનો અને ટેકનોલોજિસ્ટ્સને ટેકો આપવા માટે 100 કરોડ રૂપિયાના સ્થાપક યોગદાનની જાહેરાત કરવા માટે નમ્ર છું. આ એક સભ્યતાના દેવાની ચુકવણી છે.”
આ સંમેલનમાં સન્માનિત મહેમાન સ્વામી અવીમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી હતા. જેઓ જ્યોતિર મઠના જગદ્ગુરુ શંકરાચાર્ય હતા. જેઓ પૂજ્ય આચાર્યોના અખંડ વંશમાં 46મા હતા, જેઓ પોતાની આધ્યાત્મિક સત્તા આદિ શંકરાચાર્ય સુધી પહોંચાડે છે. આ સંમેલનને સંબોધતા શંકરાચાર્યએ કહ્યું હતું કે, “જ્યારે મેં શંકરાચાર્યનું પદ સંભાળ્યું હતું, ત્યારે મેં કહ્યું હતું કે મારી ભૂમિકા ત્યારે જ અર્થપૂર્ણ બનશે જ્યારે ભારત વિશ્વગુરુ (વૈશ્વિક શિક્ષક) બનશે અને આજે, ગૌતમ અદાણીજીની પહેલ મારા તે જ સ્વપ્નને મોટો ટેકો છે.”
કોન્ક્લેવને સંબોધતા, શંકરાચાર્યએ કહ્યું, “જ્યારે મેં શંકરાચાર્યનું પદ સંભાળ્યું, ત્યારે મેં કહ્યું હતું કે મારી ભૂમિકા ત્યારે જ અર્થપૂર્ણ બનશે જ્યારે ભારત વિશ્વગુરુ (વૈશ્વિક શિક્ષક) બનશે અને આજે, ગૌતમ અદાણીજીની પહેલ મારા તે જ સ્વપ્નને મોટો ટેકો આપે છે.”
ગૌતમ અદાણીએ ઉમેર્યું હતું કે જો કોઈ સભ્યતા અને તેની સાંસ્કૃતિક અને ભાવનાત્મક માળખાનો સક્રિયપણે બચાવ કે સંવર્ધન નહીં કરે, તો માનવીય વર્તન, સંસ્કૃતિ કે પરંપરા તરફ નહીં. પરંતુ મશીનના અલ્ગોરિધમના એક શુષ્ક તર્ક તરફ વળશે. આ પરિવર્તન શાંત, ક્રમિક હશે અને આપણે આપણા પોતાના દેશને કેવી રીતે અનુભવીએ છીએ, શીખીએ છીએ અને વિશ્લેષણ કરીએ છીએ. તેને ફરીથી આકાર આપશે.”
IIT, IIM, IKS-કેન્દ્રિત યુનિવર્સિટીઓ અને પ્રખ્યાત વિદ્વાનો સાથે સંકળાયેલા સખ્ત રાષ્ટ્રીય પરામર્શ દ્વારા વિદ્વાનોની પસંદગી કરવામાં આવી હતી. ડેટા સાયન્સ, સિસ્ટમ્સ થિંકિંગ અને મલ્ટિમોડલ આર્કાઇવિંગ જેવા અદ્યતન સાધનો સાથે શાસ્ત્રીય જ્ઞાનને એકીકૃત કરીને આ કાર્યક્રમ થકી ઇન્ડોલોજીને સમકાલીન શૈક્ષણિક પ્રવચન અને વૈશ્વિક શિષ્યવૃત્તિ માટે સુસંગત બનાવવાનો પ્રયાસ કરે છે.


