લખનૌઃ ઉત્તર પ્રદેશનાં ભૂતપૂર્વ મુખ્ય મંત્રી માયાવતીએ બહુજન સમાજ પાર્ટી (BSP)ના સ્થાપક કાંશીરામના અનુયાયીઓ અને સમર્થકોને કોંગ્રેસથી સતર્ક રહેવાની સલાહ આપી છે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસની દલિતવિરોધી માનસિકતા અને વિચારોને કારણે જ BSPનું ગઠન કરવું પડ્યું હતું. માયાવતીએ એ પણ કહ્યું હતું કે કોંગ્રેસે આંબેડકરને ક્યારેય યોગ્ય સન્માન આપ્યું નથી અને કાંશીરામના નિધન સમયે એક દિવસનો પણ રાષ્ટ્રીય શોક જાહેર કર્યો નહોતો.
બહુજન સમાજ પાર્ટીનાં સુપ્રીમો માયાવતીએ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું હતું કે બધાને ખબર છે કે કોંગ્રેસ પાર્ટી ઘણાં વર્ષો સુધી કેન્દ્રમાં સત્તામાં રહી હોવા છતાં દલિતોના મસીહા અને ભારતીય બંધારણના મુખ્ય શિલ્પી બાબા સાહેબ ડો. ભીમરાવ આંબેડકરને ક્યારેય યોગ્ય આદર-સન્માન આપ્યું નથી અને તેમને ‘ભારત રત્ન’થી પણ સન્માનિત કર્યા નહોતા.
1. जैसा कि सर्वविदित है कि कांग्रेस पार्टी ने काफी वर्षो तक केन्द्र की सत्ता में रहकर दलितों के मसीहा व भारतीय संविधान के मूल निर्माता परमपूज्य बाबा साहेब डा. भीमराव अम्बेडकर का कभी भी आदर-सम्मान नहीं किया और ना ही उनको ’भारतरत्न’ की उपाधि से भी सम्मानित किया। भला फिर यह पार्टी…
— Mayawati (@Mayawati) March 14, 2026
તો પછી આ પાર્ટી હવે માન્યવર કાંશીરામજીને કેવી રીતે આ સન્માન આપી શકે?તેમણે લખ્યું હતું કે કોંગ્રેસે જ્યારે કેન્દ્રમાં સત્તા ધરાવી હતી ત્યારે કાંશીરામજીના નિધન સમયે એક દિવસનો પણ રાષ્ટ્રીય શોક જાહેર કર્યો નહોતો. તે સમયે ઉત્તર પ્રદેશમાં રહેલી સપા સરકારએ પણ રાજ્ય શોક જાહેર કર્યો નહોતો. આ ઉપરાંત બીજી ઘણી પાર્ટીઓ પણ દલિત સમાજને નામે બનેલાં સંગઠનો અને પાર્ટીઓ સાથે મળી તેમના નામનો રાજકીય લાભ લેવા પ્રયાસ કરતી રહે છે.
કોંગ્રેસથી સાવચેત રહેવાની અપીલ
BSPપ્રમુખે કહ્યું હતું કે આ બધી પાર્ટીઓ હવે વિવિધ રીતો અપનાવીને કાંશીરામજી દ્વારા બનાવવામાં આવેલી પાર્ટીને કમજોર કરવાની કોશિશ કરી રહી છે. તેથી તેમના અનુયાયીઓ અને સમર્થકોને હંમેશાં સતર્ક રહેવું જોઈએ. ખાસ કરીને કોંગ્રેસ પાર્ટીથી જરૂર સાવચેત રહેવું જોઈએ, કારણ કે તેની દલિતવિરોધી માનસિકતા અને વિચારોને કારણે જ BSP બનાવવી પડી હતી.
રાહુલ ગાંધીએ શું કહ્યું હતું?
માયાવતીનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી શુક્રવારે લખનૌમાં કાંશીરામની જયંતી કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. તેમણે કાંશીરામને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું હતું કે જો નેહરુ જીવિત હોત તો કાંશીરામ કોંગ્રેસ તરફથી મુખ્ય મંત્રી બન્યા હોત.




