કેન્દ્રની ગુજરાતના 17 અધિકારીને IAS કેડરમાં નિયુક્તિની મંજૂરી

ગાંધીનગર: રાજ્યની વહીવટી સેવાના કુલ 17 અધિકારીને ભારતીય વહીવટી સેવામાં બઢતી આપવા કેન્દ્ર સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો. કેન્દ્ર સરકારે ગુજરાત કેડરના 17 અધિકારીની IASમાં નિમણૂકને મંજૂરી આપી છે. વર્ષ 2025ની પસંદગી યાદી અંતર્ગત રાજ્ય વહીવટી સેવાના આ અધિકારીઓને નિમણૂક આપવામાં આવેલી છે. નવી નિમણૂક પામેલા અધિકારીઓને ટૂંક સમયમાં જ પોસ્ટિંગ અપાશે.
કોને અપાઈ નિમણૂક?

નિમણૂક પામેલા અધિકારીઓમાં આર. એન. કુછરા, આર. પી. પટેલ, ડી. કે. પટેલ, બી. એચ. પટેલ, સી. બી. ગણાત્રા, સી. એ. ગાંધી, બી. એન. પટેલ, એમ. કે. જોશી, એ. કે. જોશી, કે. એસ. ઝાલા, વી. કે. જાદવ, આઈ. આર. વાળા, એમ. ડી. ચૂડાસમા, બી. એસ. પ્રજાપતિ, વી. જી. પટેલ, એ. કે. વસતાણી અને પી. બી. રાઠોડનો સમાવેશ થાય છે.