ગાંધીનગર: 1 સપ્ટેમ્બર થી 31 ઓક્ટોબર સુધી ભાજપનું પ્રાથમિક સદસતા અભિયાન યોજાયું. જેમાં અત્યાર સુધીમાં લગભગ એક કરોડ આઠ લાખ પ્રાથમિક સભ્યો બન્યા છે આજથી સક્રિય સભ્ય બનાવવાનું અભિયાન શરૂ થયું છે. સક્રિય સભ્ય હોય તે ભાજપના મેન્ટેડ ઉપરથી ચૂંટણી લડી શકે છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ફોર્મ ભરાવીને સક્રિય સભ્ય બનાવ્યાં હતાં. આ સમયે પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર, પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.
ગુજરાતમાં સક્રિય સભ્ય બનાવવા માટે ભાજપે ત્રણ લોકોની કમિટીનું ગઠન કર્યું છે. જેમાં ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા, પૂર્વ પ્રવક્તા ભરત પંડ્યા તેમજ પૂર્વ મેયર બીજલબેન પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ અંગે ભરત પંડયાએ જણાવ્યું હતું, લોકશાહીમાં સંખ્યાબળ અગત્યનું પરિબળ છે. વિશ્વમાં સૌથી મોટી રાજકીય પાર્ટી ભાજપ છે. પ્રાથમિક સભ્ય બનાવવા માટેનું અભિયાન એ મતદારો, શુભેચ્છક અને કાર્યકર્તા સુધીના બહુ મોટા વ્યાપ પર આધારિત છે. જ્યારે સક્રિય સદસ્યતા અભિયાન એ ભાજપની ઓળખ, સંગઠનની રચના અને ચૂંટાયેલ પ્રતિનિધી માટે અતિ મહત્વનું છે. એટલે કે, સક્રિય સદસ્યતા અભિયાન પ્રવેશોત્સવ પછી ગુણોત્સવ માટેનો અવસર છે.
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.




