ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના વર્ગ-4ના સફાઈ કર્મચારીઓ માટે મોટો નિર્ણય લીધો છે. એએમસીના સફાઈ કર્મચારીઓના જૂના ક્વાર્ટર્સના રિડેવલપમેન્ટ માટે રાજ્ય સરકારે લીલી ઝંડી આપી દીધી છે.
AMCની સ્ટેન્ડિંગ કમિટીએ આ મામલે ઠરાવ પસાર કરીને રાજ્ય સરકારને મોકલ્યો હતો, જેને હવે મંજૂરી મળી ગઈ છે. આ નિર્ણયથી હજારો સફાઈ કર્મચારી પરિવારોને નવા અને સુધારેલા આવાસો મળશે, જે તેમના જીવનધોરણને ઉંચું લાવવામાં મદદરૂપ થશે.
આ પગલું એએમસીના વર્ગ-4ના કર્મચારીઓ માટે આનંદના સમાચાર લઈને આવ્યું છે. રાજ્ય સરકારના આ નિર્ણયને સ્થાનિક સફાઈ કર્મચારીઓએ આવકાર્યો છે, અને આગામી દિવસોમાં આ પ્રોજેક્ટની વધુ વિગતો સામે આવે તેવી અપેક્ષા છે.
