અમદાવાદ: શાંતિગ્રામમાં આવેલી અદાણી યુનિવર્સિટીનો બીજો દીક્ષાંત સમારોહ શનિવારે સભાગૃહમાં યોજાયો હતો, જેમાં પ્રતિષ્ઠિત ત્રણ યુનિવર્સિટીના પદક વિજેતા મળી ૮૭ સ્નાતક વિદ્યાર્થીઓની સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓના પરિવારો, ફેકલ્ટી, ગવર્નિંગ બોડીના સભ્યો, અગ્રગણ્ય ઉદ્યોગકારો અને આમંત્રિત મહેમાનોએ ખાસ હાજર રહીને તેમને પ્રોત્સાહન આપ્યું.
અદાણી યુનિવર્સિટીના પ્રમુખ અને અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષા ડૉ. પ્રીતી અદાણીના અધ્યક્ષપદે યોજાયેલા આ દિક્ષાંત સમારોહમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટના ૭૯ એમ.બી.એ. સ્નાતકો અને કન્સ્ટ્રક્શન એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટના ૮ એમ.ટેક સ્નાતકોને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.
આ પ્રસંગે ડૉ. પ્રીતી અદાણીએ ભારતની માળખાગત સુવિધાઓ અને વિકાસના પરીપ્રેક્ષ્યમાં ડિજિટલ પરિવર્તન, ટકાઉપણું અને લોકો-કેન્દ્રિત સિસ્ટમો સાથે થઇ રહેલા ગહન પરિવર્તનો તરફ ધ્યાન દોર્યું. સાથે જ તેમણે ફરીથી વ્યાખ્યાયિત કરતા જણાવ્યું હતું કે આ ફેરફારો રાષ્ટ્રીય પ્રગતિનું કેન્દ્ર બની રહ્યા છે માળખાગત સુવિધાઓ આખરે સમાજની સેવા કરે છે. તેના પર ભાર મૂકતા તેમણે જણાવ્યું હતું કે કનેક્ટિવિટી અને સુવિધાથી વિશેષ અહીં વધુ મુશ્કેલ જવાબદારીઓ રહેલી છે ત્યારે આપણે એવી સિસ્ટમોનું નિર્માણ કરીએ કે જેનાથી લોકો સ્વાસ્થ્ય સુધાર, સલામતી અને તકનો લાભ લઈ શકે.
ડો. પ્રીતી અદાણીએ કહ્યું હતું કે હવે પ્રગતિ ફક્ત ગતિ, સ્કેલ કે કાર્યક્ષમતા દ્વારા નહીં પરંતુ આપણા નાગરિકો કેટલી સારી રીતે જીવન જીવે છે તેના આધારે પણ માપવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે માળખાગત સુવિધાઓના આગામી દાયકા વધુ નિર્માણ વિશે નથી; પણ વધુ ઉત્તમ નિર્માણ વિશે છે. ભારતની સભ્યતાની ઊંડાઈને શક્તિ અને પ્રેરણાના સ્ત્રોત તરીકે પ્રસ્તુત કરતા ડૉ. અદાણીએ વિદ્યાર્થીઓને પોતાની જાતને ઉભરતા ભારત માટે યોગદાતા તરીકે જોવા અનુરોધ કર્યો હતો. ડૉ. અદાણીએ સંશોધન, સહયોગ અને ઉદ્યોગ-સંકલિત શિક્ષણના વિસ્તાર માટે ભવિષ્યના તૈયાર કેમ્પસ માટેની યુનિવર્સિટીની યોજનાઓની રુપરેખાનો પુનરોચ્ચાર કર્યો હતો.
ક્વોલકોમ ઇન્ડિયાના પ્રમુખ વી. એસ. સોઇનએ કરેલા દીક્ષાંત સંબોધનમાં વિદ્યાર્થીઓ અને ચંદ્રક વિજેતાઓને અભિનંદન આપી અદ્યતન તકનીકો, સેમિકન્ડક્ટર અને ગતિશીલતાથી લઈ AI, કનેક્ટિવિટી અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધીના ક્ષેત્રમાં આગળ વધી રહેલા ભારતના ઝડપી નેતૃત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ભારત સેમિકન્ડક્ટર, AI, ગતિશીલતા અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તેના નેતૃત્વને વેગ આપી રહ્યું છે, તે સાથે ઉદ્યોગ અને શિક્ષણ વચ્ચેની હિસ્સેદારી પહેલાથી વધુ મહત્વની બને છે. તેમણે નવીનતા, અનુકૂલનક્ષમતા અને ભારતના વાસ્તવિક-વૈશ્વિક પડકારોને ઉકેલવા માટે તેવા જ દૃષ્ટિકોણ સાથે વિદ્યાર્થીઓને સતત શિક્ષણ, સિસ્ટમ વિચારસરણી, નૈતિક નેતૃત્વ અને ટકાઉપણા વિષે જાગૃતિને કેન્દ્રમાં રાખી આધુનિક, સ્થિતિસ્થાપક ભારત બનાવવા માટે જરૂરી કૌશલ્યો કેળવવા પ્રોત્સાહિત કર્યા હતા.


