થલપતિ વિજયના 27 વર્ષના લગ્નજીવનનો આવશે અંત? ચૂંટણી બાદ ફરી લગ્નની અટકળો!

સાઉથ ફિલ્મોના સુપરસ્ટાર અને તમિલનાડુના રાજકારણમાં નવો અધ્યાય શરૂ કરવા જઈ રહેલા થલપતિ વિજય હાલમાં પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. છેલ્લા 27 વર્ષથી સંગીતા સોરનલિંગમ સાથેના સુખી લગ્નજીવનનો કરુણ અંત આવી રહ્યો હોવાના અહેવાલોએ ચાહકોને સ્તબ્ધ કરી દીધા છે.

ફિલ્મી લવ સ્ટોરીનો કડવો વળાંક

વિજય અને સંગીતાની મુલાકાત કોઈ ફિલ્મની પટકથા જેવી હતી. લંડન સ્થિત ઉદ્યોગપતિની પુત્રી સંગીતા, વિજયની એટલી મોટી ફેન હતી કે એ 1996માં એને મળવા લંડનથી ભારત આવી હતી. પ્રથમ મુલાકાત બાદ જ વિજય અને એમના પરિવારને સંગીતા ગમી ગઈ અને ઓગસ્ટ 1999માં બંનેએ સાત ફેરા લીધા. આ દંપતીને બે બાળકો પણ છે. જોકે, હવે અહેવાલો મુજબ સંગીતાએ માનસિક સતામણી અને એક્સ્ટ્રા મેરિટલ અફેરના આરોપો સાથે કોર્ટના દ્વાર ખટખટાવ્યા છે.

તૃષા કૃષ્ણન સાથેના સંબંધોની ચર્ચા

આ વિવાદમાં સૌથી વધુ ચર્ચા અભિનેત્રી તૃષા કૃષ્ણનની થઈ રહી છે. વિજય અને તૃષાની જોડીએ ‘ઘિલ્લી’ થી લઈને ‘લિયો’ જેવી અનેક હિટ ફિલ્મો આપી છે. કહેવાય છે કે બંને વચ્ચેની નિકટતા છૂટાછેડાનું મુખ્ય કારણ હોવાનું મનાય છે. એવી પણ અટકળો તેજ બની છે કે આગામી ચૂંટણી પછી વિજય અને તૃષા લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. એક તરફ વિજય રાજકીય મેદાનમાં પદાર્પણ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ આ પારિવારિક વિવાદ એમની છબી પર કેવી અસર પાડશે એ જોવું રહ્યું.