સિદ્ધાર્થ મલ્હોત્રા, કિયારા અડવાણીનાં લગ્ન એપ્રિલમાં? જાણો…

નવી દિલ્હીઃ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી હાલના સમયે બોલીવૂડનું સૌથી હોટ અને હેપનિંગ કપલ છે. આ કપલ જલદી લગ્નના બંધને બંધાવાનું છે. આ બંને પહેલાં નવા વર્ષના એપ્રિલમાં કોર્ટ મેરેજ કરશે અને પછી દિલ્હીમાં પરિવાર અને મિત્રોની વચ્ચે ગ્રાન્ડ રિસેપ્શન યોજશે. જોકે આ સિદ્ધાર્થ અને કિયારાએ હંમેશાં તેમના સંબંધો વિશે મૌન જાળવ્યું છે. વળી, હાલમાં પણ તેમણે લગ્નની અફવા વિશે ચોખ્ખું કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું.

સિદ્ધાર્થ અને કિયારાની જોડીને ‘શેરશાહ’માં ખૂબ પસંદ કરવામાં આવી છે. થોડા દિવસો પહેલાં ‘કોફી વિથ કરણ-7’ના એપિસોડમાં પણ બંને જણ તેમના સંબંધો પર મંદ-મંદ સ્મિત કરતાં ચૂપ રહ્યા હતા. જોકે કિયારાએ કરણના શોમાં કહ્યું હતું કે તે અને સિદ્ધાર્થ ક્લોઝ ફ્રેન્ડ કરતાં વિશેષ છે. આવામાં તેમના લગ્નના સામાચાર આવ્યા તો ફેન્સ ખુશ થયા હતા. કિયારાએ આ શોમાં જણાવ્યું હતું કે મેં મારી આસપાસ અનેક સુંદર લગ્નો જોયાં છે અને મારાં લગ્ન થાય એમ વિચાર્યું છે, પણ એ ક્યારે થશે, એ કંઈ કહી નહીં શકાય.

બીજી બાજુ, સિદ્ધાર્થને હાલમાં લગ્ન વિશે પૂછવામાં આવતાં તેણે કહ્યું હતું કે મને ફિલ્મજગતમાં 10 વર્ષ થયાં છે. હું જો લગ્ન કરીશ તો એમાં છુપાવવા જેવી કઈ વાત નહીં હોય. લગ્ન મારાં છે અને સાચી વાત એ છે કે આ સમાચારને હું સિક્રેટ રાખી નહીં શકું, એમ તેણે કહ્યું હતું.