પિતા ધર્મેન્દ્રના મોતની અફવાઓ વચ્ચે દીકરી એશાએ જણાવી હકીકત

દરેક જગ્યાએ સમાચાર વહેતા થયા છે કે અભિનેતા ધર્મેન્દ્ર હવે આ દુનિયામાં નથી રહ્યાં. એવામાં ધર્મેન્દ્રની પુત્રી એશા દેઓલે આ તમામ સમાચારોને ખોટા ગણાવ્યા છે. એક પોસ્ટમાં તેણે તેના પિતાના સ્વાસ્થ્ય વિશે અપડેટ્સ શેર કરી છે.

પીઢ અભિનેતા ધર્મેન્દ્ર મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ છે. તેમના સ્વાસ્થ્ય અંગે અનેક અહેવાલો આવ્યા છે. તેમની પુત્રી એશા દેઓલે, તેમના પિતાના સ્વાસ્થ્ય વિશે માહિતી શેર કરી છે. આ સાથે જ તેણીએ ખોટી માહિતી પર વિશ્વાસ ન કરવા ચાહકોને અપીલ કરી છે.

એશાએ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના પિતા ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય વિશે માહિતી શેર કરતા લખ્યું, “મીડિયા વધુ પડતું સક્રિય થઈ ગયું છે અને ખોટા સમાચાર ફેલાવી રહ્યું છે. મારા પિતા સ્થિર છે અને સ્વસ્થ થઈ રહ્યા છે. હું દરેકને વિનંતી કરું છું કે અમારા પરિવારને થોડી પ્રાઈવસી આપો. પપ્પાના ઝડપથી સ્વસ્થ થવા માટે તમારી પ્રાર્થનાઓ બદલ આભાર.”

 

View this post on Instagram

 

A post shared by ESHA DEOL (@imeshadeol)

શ્વાસ લેવામાં તકલીફ પડતાં પીઢ અભિનેતા ધર્મેન્દ્રને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગઈકાલે તેમની તબિયત ઘણી બગડી હતી. પરિવારના સભ્યોએ એક પછી એક તેમની મુલાકાત લીધી હતી. 89 વર્ષીય ધર્મેન્દ્રને પોતાના પિતા માનતા સલમાન ખાન પણ ગઈકાલે સાંજે હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ગોવિંદા અને અમીષા પટેલે પણ ગઈ રાત્રે ધર્મેન્દ્રની મુલાકાત લીધી હતી.

સોશિયલ મીડિયા પર તેમના મૃત્યુની અફવાઓ ફેલાઈ હતી

શાહરુખ ખાન, તેમના પુત્ર આર્યન સાથે ધર્મેન્દ્રને મળવા ગયા હતા. હેમા માલિનીએ પણ તેમના પતિને મળવા ગયા હતા. ધર્મેન્દ્રના મૃત્યુના સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાતાં પુત્રી એશાએ તરત જ તેના સત્તાવાર સોશિયલ મીડિયા પેજ પર આ અહેવાલોને નકારી કાઢ્યા હતા. એશા તેના પિતાની ખૂબ નજીક છે. જોકે, ધર્મેન્દ્રની ટીમે પણ એક પોસ્ટ દ્વારા પુષ્ટિ આપી હતી કે ધર્મેન્દ્રની તબિયત સારી છે અને તે સ્વસ્થ થઈ રહ્યા છે.