નેપાળના ભૂતપૂર્વ PM કેપી ઓલીને કે 15 વર્ષની સજા થવાની શક્યતા

નવી દિલ્હી: નેપાળમાં નવા વડા પ્રધાન બનેલા બાલેન શાહે સત્તા સંભાળ્યા બાદ પહેલા જ દિવસે આકરું વલણ દર્શાવ્યું છે. શપથ લીધાના 24 કલાકની અંદર તેમણે મોટી કાર્યવાહી કરતાં દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન કેપી ઓલી અને ભૂતપૂર્વ ગૃહમંત્રી રમેશ લેખક સામે પગલાં લીધાં છે. જેએનઝી (Gen Z) આંદોલન દરમિયાન બેદરકારી દાખવવાના આરોપ હેઠળ બંને વરિષ્ઠ નેતાઓને ધરપકડ કરવામાં આવી છે.

કેપી ઓલીએ આ કાર્યવાહીને બદલો લેવાની રાજકીય કાર્યવાહી ગણાવી છે અને કાનૂની લડત લડવાની વાત કરી છે. ઓલી અને લેખક સામે અનેક કલમો હેઠળ આરોપ નક્કી કરવામાં આવ્યા છે.

બાલેન શાહને જેએનઝી આંદોલનના નેતા તરીકે માનવામાં આવે છે. નેપાળમાં જે આંદોલન મામલે કેપી ઓલી પર બેદરકારીના આરોપ છે, તેમાં તેમને 15 વર્ષની જેલસજા થવાની શક્યતા છે. આંદોલનની તપાસ માટે બનાવાયેલા ઇન્ક્વાયરી કમિશનની રિપોર્ટ પર નવી સરકારે સત્તા સંભાળતાં જ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. નોંધનીય છે કે આંદોલન એટલું મોટું બન્યું હતું કે નવ સપ્ટેમ્બરે કેપી ઓલીને વડા પ્રધાનપદેથી રાજીનામું આપવું પડ્યું હતું.

જેએનઝી હિંસા કેસમાં શું થયું?

નેપાળમાં જેએનઝી આંદોલનની અસર તે સમયના વડા પ્રધાન કેપી ઓલી સુધી પહોંચી હતી. ગયા વર્ષે આ આંદોલન દરમિયાન થયેલી હિંસા બાદ ગૌરીબહાદુર કાર્કીની અધ્યક્ષતામાં એક તપાસ પંચ બનાવાયું હતું. પંચે જણાવ્યું હતું કે 8 સપ્ટેમ્બરે પ્રદર્શનકારીઓના મોતના મામલે ઓલી અને લેખક દ્વારા બેદરકારી અને ગેરજવાબદાર વલણ દાખવાયું હતું.

15 વર્ષની જેલસજા શક્ય

નેપાળમાં થયેલી હિંસામાં કુલ 77 લોકોનાં મોત થયાં હતાં. પંચ સમક્ષ આપેલા નિવેદનમાં ઓલીએ કહ્યું હતું કે સુરક્ષા એજન્સીઓને જાનમાલનું નુકસાન ઓછું રાખવા અને પ્રદર્શનમાં અસામાજિક તત્વોની ઘૂસણખોરી અટકાવવા સૂચના આપવામાં આવી હતી. સરકારી અહેવાલ મુજબ ઓલી સરકારના પતનનું કારણ બનેલા જેએનઝી આંદોલન દરમિયાન 85 અબજ નેપાળી રૂપિયાથી વધુની સંપત્તિનું નુકસાન થયું હતું.

હવે વડા પ્રધાન બાલેન શાહે આ કમિશનની ભલામણ પર કાર્યવાહી શરૂ કરી છે, જેને કારણે ઓલી અને લેખકને 15 વર્ષની જેલસજા થઈ શકે છે.