સ્વ. રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે ગુજરાત કોંગ્રેસનો પુષ્પાંજલી કાર્યક્રમ

અમદાવાદ: ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસ પ્રદેશ કાર્યલય ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજીવ ગાંધી ભવન ખાતે સ્વ. રાજીવ ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી. ત્યાર બાદ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પત્રકારો સાથે સંવાદ કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે, આધુનિક ભારતના સ્વપ્ન દ્રષ્ટા અને સંચાર ક્રાંતિના પાયાથી સમગ્ર વિશ્વ સાથે ભારતના જન-જનને જોડવાનો શ્રેય જેના શીરે જાય છે એવા રાજીવજી એ આધુનિક ભારતના વિચારનો પાયો હિન્દુસ્તાનમાં નાખ્યો અને તે સંચાર ક્રાંતિથી આજ ભારતમાં એક ગામડામાં ગરીબના ઝુપડીએ જન્મતુ બાળક મુઠ્ઠીમાં મોબાઈલથી સમગ્ર વિશ્વની સફર કરવા સફળ બન્યો છે.

૧૯૮૭માં ૨૧મી સદીના સ્વપ્નદ્રષ્ટા રાજીવ ગાંધીની દુરન્દેશી નીતિઓને ટેકનોલોજી મિશન દ્વારા સાર્વત્રિક રસીકરણ, શુધ્ધ પીવાનું પાણી,  શિક્ષણ, ટેલીકોમ્યુનિકેશનના પાયાગત, માળખાકીય સગવડ – સુવિધાઓ ઉભી કરી અને આધુનિક ભારતના નિર્માણ તરફ શ્રેષ્ઠ પગલા ભર્યા. રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત શ્રધ્ધાંજલી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.